પાંચ રાજ્યોની ચૂંટણી ગમે એ પક્ષ જીતે- નહી ઉજવી શકે વિજયોત્સવ- કોરોના ફાટી નીકળવાનું જવાબદાર ચૂંટણી પંચ

કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે ચૂંટણી પંચે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા શરૂ કરાવી હતી, જેમાં તમિલનાડુ સહિત…

કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે ચૂંટણી પંચે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા શરૂ કરાવી હતી, જેમાં તમિલનાડુ સહિત ચાર રાજ્યોનું મતદાન એપ્રીલના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થઇ ગયું હતું જ્યારે બંગાળનું મતદાન હજુ પણ પૂર્ણ નથી થયું.

પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પરિણામો 2 મેના રોજ જાહેર કરવામાં આવશે, જેમાં ચૂંટણી પંચે પરિણામો પછી કોઈપણ વિજય સરઘસ અથવા ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. કોરોનાની વધતી કટોકટી વચ્ચે ચૂંટણી પંચે આ કડક નિર્ણય લીધો છે. પરિણામ પછી, કોઈપણ ઉમેદવાર તેમનો વિજેતા પ્રમાણપત્ર મેળવવા માટે માત્ર બે જ લોકો સાથે જઈ શકે છે. તમિલનાડુની મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચની ઝાંટકણી કાઢી છે અને કહ્યું છે કે કોરોના મહામારી વચ્ચે પણ ચૂંટણી યોજવાનો નિર્ણય લેવો અયોગ્ય હતો, જે પણ ચૂંટણી અધિકારીઓ હોય તેમની સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઇએ.

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો 2 મેના રોજ જાહેર થવાના છે. ચાર રાજ્યોમાં ચૂંટણી પુરી થઈ છે, જ્યારે બંગાળમાં મતદાનનો એક તબક્કો બાકી છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાનું સંકટ ઝડપથી વધી ગયું છે.

આવી સ્થિતિમાં ચૂંટણી સભાઓમાં સતત ભીડ ઉપર સવાલો ઉભા થયા હતા. બંગાળમાં સાતમા તબક્કાના મતદાન પૂર્વે, ચૂંટણી પંચે મોટી રેલીઓ, રોડ શો અને પોસ્ટ ટૂર પર પ્રતિબંધ મૂક્યો હતો, રાજકીય પક્ષોને વર્ચુઅલ રેલીઓ યોજવા અપીલ કરી હતી. તેમ જ, મતદાન પહેલાં 72 કલાક પહેલા તેમનું પ્રચાર બંધ કરવાનું સૂચન કરાયું હતું. આવી સ્થિતિમાં હવે જ્યારે મતદાન પૂર્ણ થવાનું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતગણતરીના દિવસ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મદ્રાસ હાઈકોર્ટે પણ કોરોનામાં વધી રહેલા કટોકટીની વચ્ચે ચૂંટણી પંચને ઠપકો આપ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, કોરોનાના બીજા મોજા માટે ચૂંટણી પંચ સંપૂર્ણ જવાબદાર છે. ચૂંટણી પંચે કોઈપણ પ્રકારની ચૂંટણી સભા પર પ્રતિબંધ મૂક્યો ન હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો એક સ્થળે એકઠા થવાનું ચાલુ રાખ્યું હતું. ઠપકો આપવા સાથે, હાઇકોર્ટે 2 મેના રોજ મતગણતરી માટે સંપૂર્ણ યોજના તૈયાર કરવા ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો. જો આ દિવસે કોઈ ખોટ આવે તો કોર્ટ મતગણતરી પર પ્રતિબંધ મૂકશે.

મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચને કડક શબ્દોમાં કહ્યું હતું કે, કોરોના મહામારીની બીજી લહેર માટે તમે જ જવાબદાર છો અને તમારા અધિકારીઓની સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઇએ. સાથે સવાલ કર્યો હતો કે કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતા નેતાઓને ચૂંટણી પ્રચાર માટે રેલીઓ કરવાની છૂટ આપી જ કેમ?

મદ્રાસ હાઇકોર્ટે વધુમાં જણાવતા કહ્યું હતું કે, રેલીઓ વગેરેમાં કોરોનાની ગાઇડલાઇન જેમ કે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર વગેરેનું પાલન કરવાનો આદેશ કોર્ટે આપ્યો હોવા છતા તેનું પાલન કરાવવામાં ચૂંટણી પંચ નિષ્ફળ રહ્યું હતું.  હાલ જે પણ રાજ્યોમાં મતદાન થયું ત્યાં કોરોનાના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે જેને પગલે હાઇકોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *