ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે કાર્યાલય માંથી દવાનું વિતરણ કર્યું તો તંત્રએ ગંભીર કાર્યવાહી કરી પરંતુ પાટીલની ગેરનીતી સામે ગુજરાતનું તંત્ર મૌન

સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ અત્રે ઉલેખનીય છે કે, એપ્રિલ-મે માં સુરતમાં એક તરફ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ભારે હાલાંકી…

સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ અત્રે ઉલેખનીય છે કે, એપ્રિલ-મે માં સુરતમાં એક તરફ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ભારે હાલાંકી પડી રહી હતી. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવાયું હતું. એવામાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે ઇન્જેક્શન મેળવવા માટે વહેલી સવારથી જ લોકો લાંબી કતારમાં જોવા મળી હતી.

આ મુદ્દે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે હાઇકોર્ટમાં સોગંદનામું આપીને એવો જવાબ આપ્યો છે કે, તેમણે લોકોને મદદ કરવાના હેતુથી પાંચ હજાર ઇન્જેક્શનનો જથ્થો મેળવ્યો હતો અને તેમણે કોઇ કાયદાનો ભંગ કર્યો નથી. દિલ્હીમાં આવી જ રીતે ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ફેબીફ્લુ દવાની વહેંચણી કરી હતી અને ત્યાંના ડ્રગ્સ વિભાગે ગંભીર સામે કાર્યવાહી કરી છે પરંતુ ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ કાંડમાં ભાજપ પાટીલ સહિતના ભાજપ નેતાઓ સામે કાર્યવાહી કરવાના બદલે તેમને ક્લીનચીટ આપી છે.

આ ઘટનાક્રમ વચ્ચે ભાજપ ઈન્જેક્શન લઇને રાજકારણ રમતું હોય એવું જણાઈ રહ્યું હતું. કલેક્ટર પોતે ઈન્જેક્શનો પૂરતો જથ્થો વહીવટી તંત્ર પાસે ન હોવાનું સત્તાવાર રીતે જણાવતા હોય ત્યારે ભાજપના નેતાઓ પાસે આટલા મોટા પ્રમાણમાં ઈન્જેક્શનો કેવી રીતે આવ્યાં? તે સમયે ભાજપના નેતાઓ ભાજપ કાર્યાલય પર ઈન્જેક્શન માટે બોલાવીને ફોટોગ્રાફી કરીને ઈન્જેક્શન આપી રહ્યા હતા.

સમગ્ર ગુજરાતમાં જે સમયે લોકો રેમડેસીવીર ઇન્જેક્શન માટે વલખાં મારી રહ્યા હતા અને દેશભરમાં કોઈ પણ પાસે આ ઇન્જેક્શનનો સ્ટોક ન હોતો તે સમયે સુરત ભાજપ કાર્યાલય પરથી પાંચ હજાર ઇન્જેક્શનની વહેંચણી કરવામાં આવી હતી. ફાર્માસિસ્ટ હોવાના કોઇ પરવાના વગર કે કોઇ મંજૂરી વગર આ જીવનરક્ષક ઇન્જેક્શનનો સ્ટોક ક્યાંથી આવ્યો તે અંગે કાયદા અને નિયમો છતાં સી.આર. પાટીલ સામે સરકારે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. શું ગુજરાત તંત્ર પાટીલભાઉ થી ડરી રહી છે? દિલ્હીમાં ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ફેબીફ્લુ દવાની વહેંચણી કરી તે સમયે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તો પછી પાટીલભાઉની સામે કેમ નહિ.

ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ અંગે સી.આર.પાટીલ, સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી સહિતના વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. અજુઆતના અનુસંધાને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર જી.એચ. કોશિયાએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે અને આ મુદ્દે થયેલી તપાસનો અહેવાલ પણ આપ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ ઇન્જેક્શન કાંડમાં ભાજપના નેતાઓને ક્લીનચીટ આપી છે. અને સમગ્ર ઘટના અંગે હાઇકોર્ટમાં જણાવતા કહ્યું છે કે, આ મુદ્દે કોઇ ગેરરીતિ થઇ હોવાનું જણાઇ આવતું નથી. આ ઉપરાંત, પ્રાથમિક તપાસ અહેવાલમાં હર્ષ સંઘવીનું નિવેદન લેવામાં આવ્યું છે અને પાટીલનું નિવેદન નોંધવાની દરકાર કર્યા વિના જ ક્લીનચીટ અપાઇ છે.

સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન મામલે સીધો સવાલ સી.આરને પૂછો. સુરતમાં સરકાર જે ઇન્જેક્શન મોકલી રહી છે તેનું સી.આરના પાંચ હજાર ઇન્જેક્શન સાથે કોઇ જ કનેક્શન નથી. 5000 ઈન્જેકશનની વ્યવસ્થા સી.આર કેવી રીતે કરે છે તે સી.આરને પૂછો.’

દિલ્હીમાં ફેબીફ્લુ જેવી એન્ટિબાયોટિક દવાની વહેંચણી બદલ જો ત્યાંનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ગૌતમ ગંભીરને દોષી માનતું હોય તો સમાન કાયદાઓ અને નિયમો ગુજરાતમાં પણ છે અને પાટીલ દ્વારા તો અતિદુર્લભ ગણાતા ઇન્જેક્શનનો જંગી જથ્થો મેળવી તેનું વિતરણ કરાયું છે. દવાના સામાન્ય વેપારી સામે તવાઇ બોલાવી રોફ જમાવતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાટીલ સામે શા માટે ભેદી મૌન સેવી રહ્યો છે તે રહસ્યની વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *