ભાવનગરમાં રખડતા ઢોરે લીધો જુવાનજોધ દીકરાનો જીવ, પરિવારમાં ફરી વળ્યું શોકનું મોજું- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યમાં રખડતા ઢોરે વધુ એક યુવકનો ભોગ લીધો છે. ભાવનગર(Bhavnagar)નાં ત્રાપજ(Trapaj) બંગલા નજીક રહેતા રિયાઝભાઈ રહીમભાઈ કાલાવતર કાર લઈને જઇ રહ્યા હતા. આ દરમિયાન આખલો ચઢી આવતા ગમ્ખવાર અકસ્માત(Accident)નો ભોગ બન્યો હતો. યુવાનને આખલાએ અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ યુવકને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાત્રે તેમનું દુઃખદ મોત થયું હતું.

આ ગોઝારા બનાવને કારણે યુવાનનાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં તો સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ભાવનગરમાં રખડતાં ઢોરનો આતંક સામે આવ્યો હતો. જેમાં રખડતા ઢોરને લીધે વડવા ખડીયા કુવા પાસે આધેડનું મોત થયું છે. ભાવનગરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા આધેડનું મોત નિપજ્યું હતુ. આ ઘટનામાં પરેશભાઈ નારણભાઇ વાઘેલા નામના આધેડનું કરુણ મોત નિપજ્યું હતુ. તેઓ ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા ઢોરે અડફેટે લેતા તેમનું મોત થયું હતું.

મહત્વનું છે કે, અવારનવાર અનેક રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાય છે અને જેને કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવે છે. ત્યારે ભાવનગરમાં ફરી એક યુવકને અડફેટે લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *