ભાજપના નેતાનો બફાટ- નરેન્દ્ર મોદી ભગવાન છે

નવી દિલ્હી રાજ્ય ભાજપ પ્રમુખ આદેશ ગુપ્તાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન ગણાવ્યા છે. ઇન્દ્રપુરીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે રામ મંદિરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે,…

નવી દિલ્હી રાજ્ય ભાજપ પ્રમુખ આદેશ ગુપ્તાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન ગણાવ્યા છે. ઇન્દ્રપુરીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે રામ મંદિરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી માણસના રૂપમાં ભગવાન છે કારણ કે, તેમણે 500 વર્ષમાં જે બન્યું નથી તે કર્યું છે. આદેશ ગુપ્તા બહેનો દ્વારા રાખડી બાંધવા માટેના કાર્યક્રમમાં બોલતા હતા.

દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આ વાત એવા સમયે કહ્યું છે કે, જ્યારે રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટે અયોધ્યામાં ભૂમિપૂજન કરવામાં આવનાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. ખાસ કરીને, વડા પ્રધાન સહિત 200 લોકો ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહ્યા છે.

અયોધ્યામાં ભૂમિપૂજન કાર્યક્રમની તૈયારીઓ જોર પુરથી ચાલી રહી છે. પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને અયોધ્યાને એક રીતે મજબુત બનાવી દેવામાં આવી છે. અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ બદલ પીએમ મોદીની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ભૂમિપૂજન કરશે. આ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ રહેશે. વડા પ્રધાનના કારણે દેશ અને દુનિયા લગભગ પાંચ સદીઓ પછી આ શુભ સમયનો અનુભવ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *