મુસાફરોથી ભરેલ ટ્રેનમાં અચાનક જ ભભૂકી ઊઠી ભયંકર આગ- જુઓ લાઈવ દ્રશ્યો 

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક આગની ઘટના સામે આવી છે. દિલ્હીથી દહેરાદૂન તરફ આવી રહેલી શતાબ્દી ટ્રેનના કોચમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. એન્જિનમાંથી 8 મા કોચમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ આ કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યો હતો. આ પછી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. રક્ષકે આપેલી માહિતી મુજબ આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

આ કોચમાં 35 મુસાફરો સવાર હતા કે, જેમને બીજા કોચમાં ખસેડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ સામાન્ય પરત ફર્યા બાદ ટ્રેન તેના ગંતવ્ય તરફ આગળ વધવા માંડી. આપને જણાવી દઈએ કે, શતાબ્દી ટ્રેનના કોચ C-4 માં આગ લાગી હતી. ઘટના દરમિયાન ટ્રેનને ઇમરજન્સી બ્રેક લગાવી રોકી હતી.

આ ઘટના રાયવાલા તથા કંસારો રેંજ વચ્ચે બની છે. ઉત્તરાખંડના DGP અશોક કુમારના જણાવ્યા અનુસાર, આ ઘટના કંસારો નજીક બની હતી. દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેન પાછળનું કારણ શોર્ટ સર્કિટ હતું. રેલ્વે અધિકારીઓ અને GRP પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *