ભાજપ નેતાનો આરોપ: દિલ્હી સરકાર કોરોનાથી થતા મોતના આંકડાઓ છુપાવી રહી છે- જાણો અહી

કોરોના વાયરસ સામે લડતી દિલ્હી સરકાર વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી શાસિત દિલ્હી નગર પાલિકાના વરિષ્ઠ નેતાઓએ આરોપ લગાવ્યો છે. આ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે,…

કોરોના વાયરસ સામે લડતી દિલ્હી સરકાર વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી શાસિત દિલ્હી નગર પાલિકાના વરિષ્ઠ નેતાઓએ આરોપ લગાવ્યો છે. આ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, કોવીડ -19ના દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાઓ અને સ્મશાનગૃહોથી મળતા આક્દાઓની સંખ્યામાં મોટો તફાવત છે.

જોકે, આ આરોપ અંગે દિલ્હી સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. અગાઉ એમ પણ કહેવામાં આવ્યું હતું કે, હોસ્પિટલો દ્વારા આપવામાં આવતા કોરોના વાયરસથી થતા મૃત્યુની સંખ્યા અને સરકારના આરોગ્ય બુલેટિન વચ્ચે ઘણો તફાવત છે.

ભાજપના નેતૃત્વવાળી ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ જય પ્રકાશએ દાવો કર્યો હતો કે, 21 મે સુધી કોરોના વાયરસ પોઝિટિવ એવા 282 લોકોનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હેઠળ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે અથવા દફનાવવામાં આવ્યા છે. એટલે કે, તેમના વિસ્તારમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 282 લોકોનાં મોત નીપજ્યાં છે.

તે જ સમયે, દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગૃહના નેતા કમલજીત સેહરાવાતે પણ દાવો કર્યો હતો કે, વાસ્તવિકતામાં મૃત્યુઆંક વધારે છે. તેમણે કહ્યું કે, કોર્પોરેશનના આંકડા મુજબ, વિસ્તારમાં કોરોના વાયરસના 309 પોજીટીવ દર્દીઓના અંતિમ સંસ્કાર અથવા દફનાવવામાં આવ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે, 21 મેના રોજ દિલ્હી સરકારે જાહેર કરેલા હેલ્થ બુલેટિન મુજબ રાજધાનીમાં કોરોના વાયરસના રોગચાળાને કારણે 194 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે જ સમયે, શનિવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં આ સંખ્યા વધીને 231 થઈ ગઈ છે.

જય પ્રકાશનો આરોપ છે કે, જો નવી દિલ્હી અને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા ભેગા કરવામાં આવે તો 21 મે સુધીમાં આ સંખ્યા 600 ની આસપાસ પહોંચી જાય છે, જે દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓની સંખ્યા કરતાં ત્રણ ગણા છે. આમ આદમી પાર્ટીની સરકાર પોતાના ચહેરાને બચાવવા માટે મૃતકોની સંખ્યા ઓછી બતાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *