શું તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો? આ ઘરેલૂ ઉપાયથી મેળવી શકો છો થોડી જ વારમાં રાહત

ક્યારેક તડકો, ગરમી અને વધુ પડતા અવાજના કારણે માથાનો દુખાવો થવા લાગે છે. માથાના દુખાવાના કારણે તમને કામ કરવું ગમતું નથી અને તમે અકળાવા લાગો છો. આ પરિસ્થિતિમાં તમે માથાના દુખાવાથી રાહત મેળવવા માટે ડીસ્પ્રીન અથવા પેઇનકિલર દવાનું સેવન કરવા લાગો છો.

આ પેઈન કિલર દવાઓનું સેવન કરવાથી તમને દુખાવાથી રાહત મળે છે પરંતુ વધુ પડતી આ દવાઓનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખૂબ નુકશાન થાય છે. માથાના દુખાવાથી રાહત મેળવવા અહીં ઘરેલુ ઉપાયો જણાવવામાં આવ્યા છે.

જો તમે માથામાં સતત દુખાવો થઈ રહ્યો છે તો તમે તુલસી ના પત્તાથી રાહત મેળવી શકો છો. માથામાં સતત દુખાવો થાય તો એક કપ પાણીમાં તુલસી ના પત્તા નાખીને આ પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરો અને આ મિશ્રણનું સેવન કરવાથી તમને માથાના દુખાવાથી રાહત થશે.

માથાનો દુખાવો ઓછો કરવા માટે લવિંગ પણ ખૂબ જ લાભદાયી છે. લવિંગને તવા પર ગરમ કરો અને આ લવિંગને રૂમાલમાં બાંધી લો. હવે આ પોટલીને થોડી થોડી વારે સુઘતા રહો. આ પ્રકારે લવિંગ ની પોટલી સૂંઘવાથી તમને માથાના દુખાવાથી રાહત મળશે.

ક્યારેક ક્યારેક શરીરમાં પાણીની કમી થવા પર માથાનો દુખાવો થાય છે. આ પરિસ્થિતિમાં શરીરને હાઈડ્રેટ રાખો અને વધુ માત્રામાં પાણીનું સેવન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *