સવારે ઉઠીને ભૂલથી પણ ન જુઓ આ વસ્તુઓ નહિતર આખો દિવસ જશે ખરાબ

આપણે સૌ લોકો સવારે એક ઉમ્મીદ સાથે જાગીએ છીએ કે આજનો દિવસ ખૂબ જ સરસ પસાર થાય. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે, ઘણી વસ્તુઓ જોઈએ તો આપણું કામ બગડી જાય છે. આ વસ્તુઓ અંગે વાસ્તુશાસ્ત્રમાં જાણકારી આપવામાં આવી છે.

માનવામાં આવે છે કે, સવારના સમયમાં બંધ ગાળીયલ, ધોયા વગર ના વાસણ કોઈ દુર્ઘટના જોવુ અશુભ માનવામાં આવે છે. આ તમામ વસ્તુઓ જોવાથી તમારો આખો દિવસ ખૂબ જ ચિંતાજનક અને તણાવ ભર્યો જઈ શકે છે. આ દિવસે કોઈ પણ અગત્યનો નિર્ણય ન લેવો જોઈએ.

વહેલી સવારે ઊઠીને પોતાનો ચહેરો કાચ માં જોવું એ પણ એક અશુભ માનવામાં આવે છે. જેને કારણે તમારો આખો દિવસ ખરાબ જઈ શકે છે. સવારે વહેલા ઊઠીને બંને હાથની હથેળી એકબીજા સાથે જોડી એમના દર્શન જરૂરથી કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી તમારો દિવસ ખૂબ જ સારો અને શુભ રહેશે.

માનવામાં આવી રહ્યું છે કે, વહેલી સવારે સોય-દોરા, તેલ, વાસણ અશુભ માનવામાં આવે છે. આ તમામ વસ્તુઓ રાત્રિના સમયે એવી જગ્યા પર મૂકી દીધો જ્યાં તમારી નજર ન પડે.

વાસ્તુ અનુસાર, સવારના સમયે પડછાયો જોવો પણ અશુભ માનવામાં આવે છે. જો તમે ઉગતા સુરજને જોઈને તમારો પડછાયો પશ્ચિમ દિશામાં જુઓ છો તે અશુભ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ થાય છે કે તમારા જીવનમાં રાહુ દોષ છે.

વાસ્તુ અનુસાર સવારે ધોયા વગરના વાસણો જોવા સારું માનવામાં આવતું નથી. રાત્રે સુતા પહેલા વાસણ સાફ કરી લો. જેમના કારણે ઘરમાં પૈસાની અછત પણ સર્જાઇ શકે છે.

સવારે ઊઠતાની સાથે જ જંગલી જાનવરને જોવામાં આવે તો તેમને અશુભ માનવામાં આવે છે. સાથે સાથે પાલતું જાનવરોને જોવું શુભ મનાય છે. સવારે વહેલા ઊઠીને ભગવાન સૂર્યના દર્શન કરો અને સારા દિવસ માટેની પ્રાર્થના કરો. જો તમે સૂર્યોદય પહેલા ઉઠો છો તો ચંદ્રમાના દર્શન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *