ઘરની બહાર નીકળતી વખતે જો તમને આ સંકેત મળે તો સમજવુ કે ટૂંક જ સમયમા બદલાય શકે છે આપણા નસીબ

શકુન શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જો તમે કોઈ જરૂરી કામથી ઘરની બહાર જઇ રહ્યા છો અને રસ્તામા તમને શંખ ઘટ, સ્વસ્તિકનું ચિન્હ,સિક્કો અથવા ઘોડાની નાળ મળી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે અને આ વસ્તુને ઉઠાવીને તમે પોતાની પાસે પણ રાખી શકો છો. આવી જ રીતે જો તમને શેરડી નો ઢગલો, ગાય અથવા ગાયનો અવાજ સાંભળવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. સાથે જ ધન પ્રાપ્તિના યોગ બનવાના શરૂ થઈ જાય છે અને તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમાં તમને સફળતા પણ મળી શકે છે.

જો તમે પૈસાની લેવડ-દેવડ કરી રહ્યા છો ત્યારે બીજાને પૈસા આપતી વખતે તમારા હાથમાંથી પૈસા જમીન પરથી નીચે પડી જાય છે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે અને આ સિવાય તમે રસ્તામાં છો અને કોઈ બાળક આવીને તમને પૈસા આપે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે.

જો તમે કોઈ જરૂરી કામથી ઘરની બહાર જઇ રહ્યા છો અને રસ્તામાં તમને પાખ ફેલાયેલો મોર જોવા મળે છે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. આ સિવાય તમને ઘર ની બહાર કોઇ સફાઇ કર્મી જોવા મળે છે તો તેને પણ શુભ માનવામા આવે છે. આ સિવાય ઘરની બહાર નીકળતા કોઈ નાનકડી છોકરીની હસી જોવા મળે છે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. ઘરની બહાર નીકળતી વખતે જો તમને આવા સંકેતો મળે છે તો તમારા નસીબ બદલાય શકે તેવુ શકુન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *