સુરતમાં ફરીએકવાર એક ટ્રક ડ્રાઈવરે હનુમાનજીના દર્શના કરવા જતા વૃદ્ધને કચડી નાખ્યા

હાલમાં અકસ્માતોના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. વાહન ચાલકો આડેધડ વાહનો ચલાવતા હોય છે. અને અકસ્માત સર્જાતા હોય છે. આ દરમિયાન ફરી એકવાર અકસ્માતની…

હાલમાં અકસ્માતોના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. વાહન ચાલકો આડેધડ વાહનો ચલાવતા હોય છે. અને અકસ્માત સર્જાતા હોય છે. આ દરમિયાન ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રક ડ્રાઈવરે વૃદ્ધને કચડી નાખ્યા હતાં.

ઝડપથી ટ્રકનું રિવર્સ લઈ જતા ચાલકે મંદિરે પૂજા અર્ચના કરવા જતા વૃદ્ધાને કચડી નાખ્યો હતો. અકસ્માત બાદ ગ્રામજનોમાં ભારે નારાજગી છે. કેટલીક જગ્યાએ રસ્તામાં જ મ્પ્તી સંખ્યામાં વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે. ગ્રામજનોએ પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરી છે. પરંતુ, હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ 80 વર્ષીય પાર્ષોત્તમભાઇ ભાનાભાઇ પટેલ સવારે હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરવા જઇ રહ્યા હતા, ત્યારે ઝડપે એક ટ્રકે રિવર્સ લીધો અને પરશોત્તમભાઇને ઝડપી લીધા હતાં. ગંભીર રીતે ઘવાયેલા પરશોતમભાઇનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. મૃતકના પૌત્ર દિવ્યાકાંત પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ છે. ગામલોકોએ જણાવ્યું હતું કે, ડ્રાઈવર નશામાં હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આટલી બેદરકારી છતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ કલમ 304 લગાવી નથી. આ ઉપરાંત પોલીસ ગેરકાયદેસર પાર્કિંગ સામે કોઇ કાર્યવાહી કરતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *