નશામાં ધુત નરાધમે બાપે, ચાર વર્ષના પુત્રને તલવારથી ચીરી નાખ્યો- જાણો ક્યાં બની આ કણપીણ ઘટના

હત્યાના કેસો ખુબ જ વધતા જાય છે. ત્યારે હાલમાં જ ઝારખંડના(Jharkhand) ખુંટીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં એક નશામાં ધૂત…

હત્યાના કેસો ખુબ જ વધતા જાય છે. ત્યારે હાલમાં જ ઝારખંડના(Jharkhand) ખુંટીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં એક નશામાં ધૂત પિતાએ પોતાના ચાર વર્ષના પુત્રની તલવારથી હત્યા કરી નાખી.

આ ઘટના ખુંટીના અડકી પોલીસ સ્ટેશનના કદમદીહ ગામની છે. અહીં બિરજુ મુંડાએ પોતાના જ માત્ર ચાર વર્ષના પુત્ર સાધુરામ મુંડાની તલવારથી હત્યા કરી હતી. પહેલા મૃતદેહને ઝાડીઓમાં સંતાડી દેવામાં આવ્યો, પછી ઘરની સામે દફનાવવામાં આવ્યો. આટલું જ નહીં, આરોપી પિતાએ ગામના લોકોને ધમકી આપી હતી કે જો કોઈ તેના વિશે પોલીસમાં ફરિયાદ કરશે તો તે તેને પણ મારી નાખશે.

મળતી માહિતી અનુસાર આરોપી ગામના લોકોને તલવારથી ધમકાવતો હતો. જોકે, બાદમાં ગામના લોકો તેને દારૂ પીવાના બહાને લઈ ગયો હતો અને તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી તલવાર લઈ લીધી હતી. આ પછી પોલીસને હત્યાની જાણ કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી ઘણીવાર તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો અને મારપીટ પણ કરતો હતો. આરોપીની પત્ની છેલ્લા 6 મહિનાથી તેના પિયર હતી.

જાણવા મળ્યું છે કે, મૃતક બાળક તેના કાકા સાથે રહેતો હતો. પરંતુ આરોપી પિતા તેને કંઈક ખવડાવવાના બહાને ઘરની બહાર લઈ જઈને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *