વહુને બચાવવા જતા સસરા અને દાદી સાસુને પણ કરંટ લાગ્યો, ત્રણેય લોકોના મોત

આજ રોજ નવસારીના ચીખલીના એક ગામે ગોઝારી ઘટના બની છે. નવસારીના ચીખલીના ખૂંધ ગામે કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યાં છે.

મળતી માહિતી અનુસાર, ખૂંધ ગામે પટેલ પરિવારની વહુ કલ્પના પટેલ કપડા સૂકવવા માટે ઘરની બહાર ગયા હતા. ત્યારે તેઓને અચાનક કરંટ લાગ્યો હતો. ત્યારે તેઓને બચાવવા ગયેલા સસરા બચુભાઈને કરંટ લાગ્યો હતો. તો સાથે જ બંનેને બચાવવા ગયેલા દાદી સાસુ લલીબેન પટેલને પણ કરંટ લાગ્યો હતો.

એક સાથે પરિવારમાં 3 વ્યક્તિના મોત થતા આખું ગામ હિબકે ચડ્યું હતું. એકસાથે ત્રણેય લોકોને કરંટ લાગતા ત્રણેયના મોત થયા છે. તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ચીખલી પોલીસ ઘટના સ્થળ પર પહોચી અને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ આ પ્રમાણે છે

લીલીબેન રવજીભાઈ પટેલ (ઉંમર 80 વર્ષ)

બચુભાઇ ઉર્ફે સુમનભાઈ રવજીભાઈ પટેલ (ઉંમર 60 વર્ષ)

કલ્પનાબેન શૈલેષભાઇ પટેલ (ઉંમર 35 વર્ષ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *