બ્રેકીંગ ન્યુઝ: માધ્યમિક શાળાઓ ખુલવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન

ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને સમગ્ર જનજીવન રાબેતા મુજબ શરુ થઇ ગયું છે. ત્યારે હવે રાજ્યમાં ધોરણ 9 થી 11…

ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને સમગ્ર જનજીવન રાબેતા મુજબ શરુ થઇ ગયું છે. ત્યારે હવે રાજ્યમાં ધોરણ 9 થી 11 ધોરણ સુધીનું શિક્ષણ શરુ થઇ ચુક્યું છે. ત્યારે હવે રાજ્યમાં ધોરણ 6 થી ધોરણ 8ની શાળાઓ ખોલવા મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે.

અમદાવાદ ખાતે યોજવામાં આવેલ એક કાર્યક્રમમાં હાજરી આપતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત રાજ્યમાં ધોરણ 6 થી ધોરણ 8ની શાળાઓ ખોલવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 9 ઓગસ્ટ પછી શાળા ખોલવા મુદ્દે મીટીંગમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે. સાથે જણાવતા કહ્યું છે કે, આગામી સમયમાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 6 થી ધોરણ 8 શાળાઓ ખોલવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ તેમની જાહેરાત કરવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં ધો. 9થી 11માં ઓફલાઈન શિક્ષણ શરુ થયું છે. રાજ્ય સરકારે તો ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે જોકે વાલીઓ અને કેટલાક સ્કૂલ સંચાલકોમાં હજુ પણ ઓફલાઈન શિક્ષણ અંગે ચિંતિત જોવા મળી રહ્યા છે.

રાજ્યની મોટા પ્રમાણની સ્કુલોમાં હજુ સુધી 50 ટકા પણ વિદ્યાર્થીઓના સંમતિપત્રકો આવ્યા નથી. સરકારે શાળાઓ ખોલવાની તો મંજુરી આપી દીધી છે, પરંતુ શાળાઓને વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ ફરજીયાત છે. ત્યારે હજુ સુધી 50 ટકા વિદ્યાર્થીઓની હજુ પણ સંમતિ મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *