ચુંટણી નજીક આવી અને ગીફ્ટ મળવાની શરુ- પાંચ મહિનાના વીજબીલ માફ, જેણે ભર્યા છે એને મળશે ક્રેડીટ

મધ્યપ્રદેશ(Madhya Pradesh): સરકારે વીજ ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે, જે અંતર્ગત 31 ઓગસ્ટ 2020 સુધીના તમામ વીજબીલ માફ કરી દેવામાં આવ્યા છે, આવી સ્થિતિમાં…

મધ્યપ્રદેશ(Madhya Pradesh): સરકારે વીજ ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે, જે અંતર્ગત 31 ઓગસ્ટ 2020 સુધીના તમામ વીજબીલ માફ કરી દેવામાં આવ્યા છે, આવી સ્થિતિમાં જે લોકોએ વીજબીલ ભર્યા હતા, તેમને પૈસા પાછા મળશે એટલે કે તે પૈસા આગામી વીજબીલમાં એડજસ્ટ કરવામાં આવશે.

હકીકતમાં, શિવરાજ સરકારે એવા વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે જેમના વીજબીલ કોરોનાના સમયગાળા દરમિયાન બાકી હતા. જોકે, તે બીલ પછીથી વીજ કંપની દ્વારા એડજસ્ટમેન્ટ સ્કીમ હેઠળ ડિસ્કાઉન્ટ આપીને ભરવામાં આવ્યા હતા, પરંતુ હવે વીજબીલ માફ કરવામાં આવ્યા છે. જે ગ્રાહકોએ વીજબીલ જમા કરાવ્યા હતા તેઓ દ્વારા ચૂકવવામાં આવેલી રકમ આગામી વીજબીલમાં એડજસ્ટ કરવામાં આવશે. સ્પષ્ટપણે કહેવામાં આવે તો, સરકારે એપ્રિલ 2020 થી 31 ઓગસ્ટ 2020 સુધીના વીજબીલ માફ કર્યા છે.

વિધાનસભામાં જાહેરાત કરી હતી
CM શિવરાજે વિધાનસભામાં જાહેરાત કરી છે, જે અંતર્ગત મધ્યપ્રદેશના 88 લાખ ઘરેલુ ગ્રાહકોના લગભગ 6400 કરોડ રૂપિયા માફ કરવામાં આવશે. સરકારે ગ્રાહકોને આ મોટી ભેટ આપતા જ ​​ગ્રાહકોના મનમાં સવાલો ઉભા થયા છે કે, જે લોકો પહેલાથી જ વીજ બિલ જમા કરાવી ચૂક્યા છે તેમનું શું થશે.

તો તમને જણાવી દઈએ કે, લગભગ 1 કરોડ 20 લાખ રૂપિયા છે. જે ગ્રાહકોએ 1 કિલોવોટ સુધીનું કનેક્શન લીધું છે, તેમને લાભ મળશે. આ યોજના હેઠળ એપ્રિલ 2020 થી 31 ઓગસ્ટ 2020 સુધીના લગભગ 88 લાખ લોકોના વીજબીલ માફ કરવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં આદેશ જારી કરવામાં આવશે.

જ્યાં સુધી પૈસા નહીં ભરાય ત્યાં સુધી એડજસ્ટમેન્ટ કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે, કોરોનાના સમયગાળા દરમિયાન એપ્રિલ 2020 થી 31 ઓગસ્ટ 2020 સુધી જે ગ્રાહકોના વીજબીલ બાકી હતા તેમની વસૂલાત માટે રિઝોલ્યુશન પ્લાન શરૂ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત 25 થી 40 ટકા ડિસ્કાઉન્ટ આપીને વીજળીના બિલની ચૂકવણી કરવામાં આવી હતી. કોરોના કાળમાં એવી જ રીતે લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હતી.

આવી સ્થિતિમાં શિવરાજ સરકાર દ્વારા મોટો નિર્ણય લઈને ગ્રાહકોને વીજળીની મોટી ભેટ આપી છે. હવે એવા ગ્રાહકોના વીજબીલ માફ કરવામાં આવ્યા છે.  જેથી તે સમય દરમિયાન જે ગ્રાહકોના વીજબીલ બાકી હતા તે જમા કરાવ્યા હતા, તે જ રકમ આગામી વીજબીલ માં એડજસ્ટ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ગ્રાહકને સંપૂર્ણ રકમ પરત ન થાય ત્યાં સુધી વીજબીલમાં એડજસ્ટમેન્ટ કરવામાં આવશે. આ યોજના હેઠળ લગભગ 14.5 લાખ ગ્રાહકોને 189 કરોડ રૂપિયાનું એડજસ્ટમેન્ટ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *