બે વખત લગ્ન નિષ્ફળ ગયા પછી પણ યુવતીને ત્રીજા યુવક સાથે બંધાયા શારીરિક સબંધ, ને પછી એક દિવસ થયું એવું કે…

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં બે વખત લગ્ન નિષ્ફળ ગયા બાદ પણ યુવતીને વધુ એક યુવક સાથે શારીરિક સબંધ બંધાયા હતા. ઉપરાંત બંનેના સબંધ આગળ વધતા બંનેએ શારીરિક સબંધો પણ બાંધ્ય હતા. પરંતુ એટલું જ નહી યુવક અને યુવક અને યુવતી બંનેએ એકાંતમાં રહેવાનું શરુ કરી દીધું હતું.

બંને લગ્ન કર્યા વગર જ એકાંતમાં ખુશ રહેતા હતા. બંનેના સબંધ સારી રીતે ચાલી રહ્યા હતા. આ દરમિયાન 31મી મેના રોજ યુવતી પોતાના ભાઈ અને તેના માતા-પિતા સાથે યુવકના ઘરે લગ્ન વિશેની વાત કરવા માટે ગયા હતા. યુવતીના ભાઈ અને પિતાએ લગ્નની વાત કરતા યુવકની માતાને આ સબંધ પસંદ ન હોવાથી જતા રહેવા માટે કહ્યું હતું.

ત્યાંથી જવાનું કહેતાની સાથે જ તેઓ નીકળી રહ્યા હતા ત્યારે યુવકના પહેલી પત્નીના છોકરાએ યુવતીના પિતા સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને ઝઘડો કર્યો હતો. સાથે યુવકના પિતાએ યુવતીના માતા પિતા અને ભાઈને માર પણ મારવામાં આવ્યો હતો.

યુવતીના પિતાને લાકડી વડે માર મારવાથી તેમને ઈજા પણ પહોચી હતી. જેને લઈને યુવતીએ યુવક સામે અને તેમના દીકરા વિરુદ્ધ લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. મહત્વનું છે કે, યુવતીના પ્રથમ લગ્ન 2001માં થયા હતા. ત્યારબાદ તેણે 2013માં બીજા લગ્ન કર્યા હતા. તેની સાથે પણ સબંધ ન ફાવતા તેમણે 2020માં છુટાછેડા લઇ લીધા હતા. ત્યાર તે યુવતીને આ યુવક સાથે શારીરિક સબંધ બંધાયા હતા. જોકે હવે લગ્નની વાતને લઈને મામલો ઉગ્ર બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *