દીકરીને વિધર્મી સાથે થયો આંધળો પ્રેમ- કળયુગી પિતાએ ધોકા મારી મોતને ઘાટ ઉતારી દીધી

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. સમગ્ર રાજ્યમાં થોડાં દિવસથી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં રાજ્યમાં આવી ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. આવી જ એક ઘટના હાલમાં રાજ્યનાં રાજકોટ શહેરમાંથી સામે આવી રહી છે.

રાજકોટમાં આવેલ ગાંધીગ્રામ વિસ્તારમાં શાહનગર સોસાયટીમાં રહેતી ઇલા નકુમની (ઉંમર 20 વર્ષ) તેનાં પિતા ગોપાલભાઈએ જ કપડાં ધોવાનો ધોકો માથામાં મારીને ભાગી ગયા હતાં. તેથી ગંભીર રીતે ઇજા પામેલ ઇલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અહીં તેનું સારવાર દરમિયાન મોત નીપજતાં આ ઘટના હત્યામાં બદલાઈ છે. આ બાબતે ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી જઈને ગુનો નોંધીને આરોપી પિતા ગોપાલભાઈની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ઈલાને પાડોશમાં રહેતા વિધર્મી યુવાનની સાથે પ્રેમ પણ થઈ ગયો હતો.

આથી તેની સાથે લગ્ન કરવાની ઈલાએ હઠ લેતાં પિતાએ માથામાં કપડા ધોવા માટેનો ધોકો મારી દીધો હતો.ઈલાને તેની પાડોશમાં રહેતા વિધર્મી યુવાનની સાથે પ્રેમ થઈ ગયો હતો. આ બાબતની માહિતી પિતાને થતા જ દીકરીનો વિધર્મી યુવાન સાથેનો પ્રેમ સંબંધ તેને મંજૂર પણ ન હતો. આ બાબતે પરિવારે પણ ઈલાને ઘણી સમજાવી હતી.

પણ આજે જ પિતા ગોપાલભાઇએ કપડાં ધોવા માટેનાં ધોકાથી ઈલાનાં માથાનાં ભાગમાં ઘા મારતા ગંભીર રીતે હાલતમાં એને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ઈલાનું હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં બદલાઈ ગયો છે. પોલીસે પણ આરોપી પિતાની સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ પણ કરી છે.

ઈલાની માતા સવિતાબેનનું પણ હજુ એક મહિના પહેલા જ હાર્ટએટેકથી મોત થયું હતું. 4 ઓગસ્ટે ઈલાનાં પરિવારે તથા એનાં પ્રેમીનાં પરિવારની વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું. પરંતુ આજ સવારમાં જ ગોપાલભાઈએ તેની દીકરીને ધોકાથી મારીને મોતને ઘાટ પણ ઉતારી દીધી હતી.

માતાનાં અવસાન પછી ઈલા તથા એનાં પિતા ગોપાલભાઈ ઘરમાં સાથે જ રહેતા હતા. ગોપાલભાઈ મજૂરીનું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં. ઈલા એ તેમની એકની એક જ પુત્રી હતી અને મહિલા કોલેજમાં એ અભ્યાસ પણ કરતી હતી.

આ બાબતે ઝોન-2ના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવતાં કહ્યું હતું કે, મૃતક ગાંધીગ્રામ વિસ્તારમાં એનાં પિતા ગોપાલભાઈની જ ભેગાં રહેતાં હતાં. દીકરી વિધર્મી યુવકની સાથે જતી રહી હતી. આ બંને બાબત પોલીસની પાસે આવી ત્યારે બંને સમાજનાં આગેવાનો પણ પોલીસની પાસે આવ્યા હતાં.

આગેવાનની સમજણથી બંને સમાજનાં લોકો વચ્ચે વાર્તાલાપ પણ થયો હતો. ત્યારબાદ યુવતી તેનાં પિતાને ત્યાં પાછી જતી પણ રહી હતી. આ સમગ્ર ઘટના 29 જુલાઈથી લઈને આજ સુધીમાં જ બની હતી. આજ સવારમાં ખાવા-પિવાની બાબત પર દીકરીની સાથે માથાકૂટ થઈ હતી.

એનાં પિતાએ જ માથામાં લાકડાનાં ધોકાના કુલ 3-4 ઘા પણ માર્યા હતા. ત્યારબાદ સારવાર અર્થે યુવતીને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી હતી. આજ બપોરે જ તેનું મોત પણ નીપજ્યું હતું. હાલમાં ફરિયાદ લેવાંની તજવીજ હાથ ધરી છે.

પોલીસની ​તપાસ મુજબ ​​​​​​ઈલા થોડા જ દિવસ પહેલા ઘર છોડીને પ્રેમીની પાસે પહોંચી પણ ગઈ હતી. ત્યાંથી બંને ભાગીને કઈક જતા પણ રહ્યા હતાં. ઈલાનાં પિતાએ ઘરેથી ચાલી ગઈ છે એવી પોલીસને જાણ પણ કરી હતી. કુલ બે દિવસ પહેલા જ દીકરીનાં પ્રેમીનાં પરિવારે પુત્રની ઉંમર નાની છે, પુખ્ત નથી એમ સમજાવીને ઈલાને ઘરે મૂકી પણ આવ્યા હતાં. ત્યારે પણ ગોપાલભાઈએ તેની દીકરીને સ્વીકારવાની પણ ના પાડી દીધી હટી. સમજાવટ બાદ દીકરીને ઘરે લઈ ગયાનાં કુલ 24 કલાક બાદ ખૂની હુમલો પણ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *