જગતપુર પાસેના ગણેશ જીનેસિસ ફ્લેટમાં આગ, અનેક લોકો ફસાયા, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે

રાજ્યમાં આગની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આજે અમદાવાદમાં એક ભીષણ આગના સમાચાર વાયુવેગે પ્રસરતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. અમદાવાદના ગોતા પાસે…

રાજ્યમાં આગની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આજે અમદાવાદમાં એક ભીષણ આગના સમાચાર વાયુવેગે પ્રસરતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. અમદાવાદના ગોતા પાસે આવીલા જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટમાં છઠ્ઠા માળે ઘરમાં આગ લાગી છે. આ ઘટનામાં 20થી 25 લોકો ફસાયા હોવાનું અનુમાન છે.

આગની ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી. ફાયર બ્રિગેડને આગનો કોલ મળતા ઘટના સ્થળે પહોંચવા 5 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરેકલ ઘટના સ્થળે રવાના થયા છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ગણેશ જીનેસિસ ફ્લેટમાં છઠ્ઠા માળે ઘરમાં બાટલો ફાટવાના કારણે આગ લાગી છે. આ ઘટનામાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ બિલ્ડિંગને બીયૂ પરમિશન નહોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *