અમરોલીમાં KYC અપડેટ કરવાના બહાને એમ્બ્રોડરી વેપારી સાથે લાખોની છેતરપિંડી

સુરત શહેર ગુનાખોરીનું હબ બની રહ્યું છે. રોજબરોજ ચોરી, હત્યા, મારપીટના ગુનાઓ બનતા રહે છે. તેવામાં સાયબર ક્રાઈમના ગુનાઓ પણ વધી ગયા છે. આવી જ…

સુરત શહેર ગુનાખોરીનું હબ બની રહ્યું છે. રોજબરોજ ચોરી, હત્યા, મારપીટના ગુનાઓ બનતા રહે છે. તેવામાં સાયબર ક્રાઈમના ગુનાઓ પણ વધી ગયા છે.

આવી જ એક ઘટના સુરતના અમરોલી વિસ્તારમાંથી સામે આવી રહી છે. જેમાં અમરોલીમાં કેવાયસી અપડેટ કરવાના નામે એમ્બ્રોડરી વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

કોઈ અજાણ્યા વ્યક્તિએ ખાતાધારકને ફોન કરીને કહ્યું હતું કે, તમારું ખાતું બંધ થઈ ગયું છે. જેને તમારે ચાલુ કરાવવા માટે આધાર કાર્ડ, મોબાઈલ નંબર, પાન કાર્ડ , એટીએમ કાર્ડ નો નંબર વગેરે આપવું પડશે. ત્યારબાદ ભોગ બનેલા વ્યક્તિએ અજાણ્યા વ્યક્તિને બધી ડીટેલ્સ આપી દીધી હતી.

પછી તો શું હતું ગુનાખોર ને બધી માહિતી મળી જતા વેપારીના ખાતામાંથી ૧.૯૫ લાખની રકમ ઉપાડી લીધી હતી. આ કેસમાં અમરોલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *