ફ્રાંસે ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો, ગલવાન ઘાટીના શહીદ જવાનો માટે કર્યું મોટું કામ

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવગ્રસ્ત સંબંધોના માહોલની વચ્ચે ફ્રાંસે ભારતની મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે.ગલવાની ઘાટીમાં ચીનના સૈન્ય સાથે થયેલી લડાઈમાં શહીદ થયેલા આપણા…

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવગ્રસ્ત સંબંધોના માહોલની વચ્ચે ફ્રાંસે ભારતની મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે.ગલવાની ઘાટીમાં ચીનના સૈન્ય સાથે થયેલી લડાઈમાં શહીદ થયેલા આપણા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ફ્રાંસના રક્ષામંત્રી ફ્લોરેન્સ પર્લેએ આપણા દેશના રક્ષામંત્રી રાજનાથસિંહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.સોમવારે તેમણે રક્ષા મંત્રીને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે,તેઓ બંને વચ્ચે ચાલી રહેલી વાતચીત પૂરી કરવા ઈચ્છે છે.

પર્લેએ તેમાં ઉમેરતાં કહ્યું હતું કે,ભારત-ફ્રાંસ બંને રાષ્ટ્ર ખૂબ સારા સંબધો છે.રાજનાથસિંહના આમંત્રણ પર હું એમને મળવા માટે તૈયાર છું,અને બાકી રહેલી એ વાતચીતનો અંત લાવવાં ઈચ્છું છું.પર્લેએ પોતાના પત્રમાં ગલવાન ઘાટીમાં શહીદ થયેલા આપણા જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,આ જવાનો શહીદ થતા જ એમના પરિવારજનો તથા દેશને એક મોટી ખોટ પડી છે.આ મુશ્કેલીના સમયમાં હું મિત્ર રાષ્ટ્ર ભારત પ્રત્યે ફ્રાંસ સૈન્ય તરફથી મિત્રતા પ્રકટ કરૂ છું.હું આપને વિનંતી કરૂ છું કે,આપ મારી શ્રદ્ધાંજલિ સમગ્ર ભારતીય સેના અને શહીદના પરિવારજનોને આપશો.ભારત ફ્રાંસ સાથે 36 રાફેલ વિમાનની ખરીદીનો દાવો કરી ચૂક્યો છે.

તા.27 જૂલાઈના રોજ ભારતને અંબાલા એરબેઝ પર 6 રાફેલ વિમાન મળી રહેશે.આ પહેલા 4 વિમાન જ આવવાના હતા.પણ હવે ફૂલ્લી લોડેડ 6 રાફેલ વિમાન ભારત પાસે આવશે.ભારત-ચીન વચ્ચે ચાલી રહેલાં તણાવગ્રસ્ત સંબંધને લઈને આ નિર્ણયને ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય તરીકે માનવામાં આવે છે.તો બીજી તરફ ભારત-ચીન વચ્ચે તણાવગ્રસ્ત સંબંધને સુધારવા માટે ત્રીજી બેઠક યોજાઈ હતી.આ બેઠકનું આયોજન લદ્દાખના ચુશુલમાં કરવામાં આવ્યું હતું.

આ પહેલા આ પ્રકારની બેઠક માટે ચીને ભારતને પોતાના વિસ્તારમાં નિમંત્રણ આપ્યું હતું.ભારત તરફથી પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરનાર જનરલ હરિંદરસિંહ છે.જ્યારે ચીન તરફથી કમાંડર લિયુ લીન નેતૃત્વ કરી રહ્યા છે.ફ્રાંસ ભારતનો મિત્ર દેશ બની રહ્યો છે.ભારત-ચીન બોર્ડર પર ભારત ચીનની સામે કોઈ વાતે નમતુ મુકવા તૈયાર નથી. તો બીજી તરફ,’ચીનને દુખે છે પેટ અને કુટે છે માથું’ એવી સ્થિતિ છેલ્લા ઘર્ષણ પરથી જોવા મળી રહી છે.ચીનને જબરદસ્ત જવાબ આપવા માટે ભારતે પણ પોતાનો સૈન્ય કાફલો લદ્દાખ ક્ષેત્રમાં વધારી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *