આ મંદિરની દાનપેટીમાંથી અધધધ… રૂપિયા મળી આવ્યા, બે દિવસ સુધી સતત ચાલુ રહી ગણતરી

તમે ઘણી વખત મંદિરે જતા હશો અને ત્યાં દાનપેટીમાં પણ ભગવાનના દર્શન કરીને રૂપિયા નાખતા હશો. પરંતુ શું તમને ખબર છે કે, બે મહિનામાં દાનપેટી…

તમે ઘણી વખત મંદિરે જતા હશો અને ત્યાં દાનપેટીમાં પણ ભગવાનના દર્શન કરીને રૂપિયા નાખતા હશો. પરંતુ શું તમને ખબર છે કે, બે મહિનામાં દાનપેટી માં કેટલા રૂપિયા ભેગા થઇ શકે છે? જો તમને ખબર ન હોય તો આજે અમે તમને જણાવીશું. એક મંદિરમાં બે મહિના પછી દાન પેટી ખોલવામાં આવી ત્યારે તેમાંથી અધધધ… રૂપિયા મળી આવ્યા હતા.

રાજસ્થાનના ઉદયપુર શહેરથી નજીક આવેલા ચિતોડગઢ જિલ્લાના મંડફિયામાં શામળીયાજીનું મંદિર આવેલું છે. નાથદ્વારા જતા અનેક શ્રદ્ધાળુઓ અહીં અચૂક દર્શન કરવા માટે આવે છે. કૃષ્ણધામ શામળીયાજીમાં સોમવારે દાનપેટીઓ ખોલવામાં આવી હતી. જેમાંથી નીકળેલી રકમની ગણતરી કરતા આંકડો કરોડને પાર થઈ ગયો હતો. દાનમાંથી મળી આવેલી કેશની ગણતરી બે દિવસ સુધી ચાલી હતી. મંદિરમાં જ આ ગતણરી કરવામાં આવી હતી. મંદિરના સુત્રોએ જણાવ્યું હતું કે, બે મહિનામાં આટલી મોટી રકમ એકઠી થઈ છે.

પ્રથમ વખત આટલી મોટી રકમ મળી આવી હોવાનું મંદિરના ટ્રસ્ટના એક વ્યક્તિએ કહ્યું હતું. રાત્રીના આઠ વાગ્યા સુધી ચાલેલી આ ગણતરીમાં કુલ રુ.5 કરોડ 55 લાખ 41 હજાર 5 સો રુપિયા મળ્યા હતા. આ એ રકમ છે જેની ગણતરી થઈ ચૂકી હતી. હજુ 6 ટેન્ક અને લોકરમાં રહેલી રકમની ગણતરી બાકી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે આંકડો 6 કરોડ રુપિયાને પાર થઈ જશે. વૈષ્ણવો સંપ્રદાયની આ ખૂબ પવિત્ર જગ્યા છે. ખાસ કરીને નાથદ્વારા દર્શન કરવા માટે જતા લોકો અહીં ખૂબ આસ્થા સાથે દર્શન કરવા માટે આવે છે. આ રકમથી મંદિરના ઈતિહાસમાં એક રેકોર્ડ નોંધાયો છે. ગત વર્ષે આ રકમ એક લાંબા સમય બાદ ખૂલેલી દાનપેટીમાંથી મળી ત્યારે 5 કરોડ રુપિયા મળ્યા હતા. કુલ 5,55,70,000 રુ. મળ્યા હતા. જેની મંદિરના ચોપડે નોંધ કરવામાં આવી હતી.

આ વખતે એક મહિનામાં કુલ 26,63,758 રુ.નું દાન મળ્યું છે. શામળીયાજીમાં અમાસના દિવસે મેળો ભરાય છે. રાજભોગની આરતી બાદ અહીં ભોજન પણ થાય છે. આરતી પછી આ ભંડારો ખોલવામાં આવે છે. દાનપેટીમાંથી મળેલી આ રોકડ સિવાય અનેક સોનાની ભેટ, સોનાના સિક્કાની પણ ગણના કરવામાં આવી છે. સોના ઉપરાંત ચાંદીના આભુષણ પણ મળી આવ્યા હતા. આ માટે મંદિરમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *