રાજકોટમાં ઘર કંકાસથી કંટાળી વધુ એક યુવકે જીવન ટુંકાવ્યું- દોઢ વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે વધુ એક વ્યક્તિએ ઘર કંકાસથી કંટાળી આપઘાત કરી લીધો હોવાના સમાચાર મળી આવ્યા છે. રાજકોટ(Rajkot) શહેરના 80…

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે વધુ એક વ્યક્તિએ ઘર કંકાસથી કંટાળી આપઘાત કરી લીધો હોવાના સમાચાર મળી આવ્યા છે. રાજકોટ(Rajkot) શહેરના 80 ફૂટ રોડ પરની સુરભી પોસીબલ બીલ્ડીંગ (Surbhi Possible Building)ના ગ્રાઉન્ડમાં ફર્નિચર (Furniture)ના ધંધાર્થી દિવ્યેશ જેઠવાએ ઘર કંકાસથી કંટાળી એસિડ(Acid) ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જેને પગલે પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. પોલીસ પૂછપરછમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, પત્ની અને માતા વચ્ચેના ઝઘડાથી કંટાળી દિવ્યેશે એસિડ પી પોતાની જિંદગી ટૂંકાવી લીધી હતી.

બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં એસિડ પી લેતા લોકો એકઠા થયા:
મળતી માહિતી અનુસાર, શુક્રવારના રોજ સવારે 10.45 વાગ્યે વાવડીના આંગનપાર્ક સિટીમાં રહેતા દિવ્યેશ મનસુખભાઈ જેઠવા(32) નામના યુવકે 80 ફૂટ રોડ પર આવેલી સુરભી પોલીબલ બીલ્ડીંગના ગ્રાઉન્ડમાં એસિડ ગટગટાવી લીધું હતું. જેના કારણે તે બેભાન થઇ ઢળી પડ્યો હતો. જેને પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને આ યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન દિવ્યેશનું મૃત્યુ નીપજ્યું હતું.

મૃતક ચાર ભાઈ અને એક બહેનમાં નાનો હતો:
મૃતક ચાર ભાઈ અને એક બહેનમાં નાનો હતો. ગ્રાઉન્ડમાં એસિડ ગટગટાવી લીધું હોવાને કારણે ચકચાર માચી જવા પામી હતી. તેમજ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે સિવિલ હોસ્પીટલ દોડી આવ્યા હતા. તેમજ આપઘાતનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મૃતક ફર્નિચરનું કામ કરતો હતો અને તેમના લગ્ન દોઢ વર્ષ પહેલા વિધીબેન નામની યુવતી સાથે થયા હતા. બાદમાં તેની માતા અને પત્નીના ઝઘડાથી કંટાળીને અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *