સામુહિક દુષ્કર્મ પીડિતાના પિતાનું આરોપીઓના હુમલામાં મોત બાદ સ્મશાનયાત્રામાં ઉમટ્યા લોકો

સુરતના ચકચારી ગૅગરેપ બાદ પણ આરોપીઓ દ્વારા પીડિતા ની છેડતી કરવામાં આવતી હતી, જે ઘટના ની જાણ પીડિતાના પિતા અને ભાઈ ને થતા તેઓ ઠપકો આપવા આરોપીઓ પાસે ગયા હતા અને ત્યાં ઉગ્ર બોલાચાલી બાદ આરોપી યુવકની સાથે આવેલા અસામાજિક માથાભારે તત્વોએ છરી વડે જીવલેણ હુમલો થતા કિશોરી ના પિતા ને 13 દિવસ ની સારવાર બાદ આજે મૃત્યુ થયુ.(DEMO PIC)

સુરતની આ ઘટનામાં 6 મહિના પહેલા 16 વર્ષની કિશોરી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. ગેંગરેપ ગુજારનારાઓ પૈકીનો એક આરોપી જય ખોખરિયાએ બાદમાં પણ કિશોરીની છેડતી કરતા કિશોરીના પિતા અને ભાઈ જયને ઠપકો આપવા જતા જય અને તેના ભાઈ અને સાગરિતોએ કિશોરીના પિતા અને ભાઈ પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજા પામેલા પિતાનું 13 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું.(DEMO PIC)

તેમની સ્મશાનયાત્રામાં સ્વયંભૂ રીતે લોકો જોડાયા હતા. પરિવારજનોનો આરોપ છે કે પોલીસે આરોપીને પકડી પાડ્યા હોવા છતાં તેઓ મોટા માથાઓ સાથે સંકળાયેલા હોવાથી તમમાં આરોપીઓના નામ જાહેર કરી રહ્યા નથી અને તપાસને ઢીલી પાડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *