પોલીસ જવાને પોતાના વતનમાં ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): દમણ(Daman) પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલે(Constable) ગુરૂવારના રોજ વતન દીવમાં પોતાના ઘરે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. દમણ પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા અને હાલમાં રજા લઇને વતન દિવ(Div)ના વણાંકબારા(Vanakbara) ગામમાં ગયેલા 29 વર્ષના કોન્સ્ટેબલ હિરક વેલજીભાઇ બારીયાએ પોતાના ઘરમા જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં હાહાકાર મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર, આપઘાતનું કારણ હજી અકબંધ છે. પરંતુ વર્ષ 2013માં સંઘપ્રદેશ દમણ- દિવ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી રહ્યા હતા. પોલીસ જવાન હાલ હોળીમાં દમણથી રજા લઇને પોતાના વતન દીવમાં ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક પોલીસ જવાનનો મોટો ભાઈ પણ દમણ-દિવમાં કાર્ય કરે છે. ઘટના નાગે જાણ થતાની સાથે જ પોલીસ જવાનનો કાફલો સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

આપણે સૌ જાણીએ છીએ કે, આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. પરંતુ આ પોલીસ કોન્સ્ટેબલે ક્યાં કારણોસર જીવન ટુંકાવ્યું એ હજુ સામે આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *