મોઢે ડૂચો દઈ બે બાળકોના નરાધમ બાપે નવ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, ઘટના સ્થળે જ મોતને ભેટી બાળકી

ગીર સોમનાથ(Gir Somnath): દુષ્કર્મ (Mischief)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. એવામાં ગીર સોમનાથમાંથી વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જાણવા…

ગીર સોમનાથ(Gir Somnath): દુષ્કર્મ (Mischief)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. એવામાં ગીર સોમનાથમાંથી વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, ગીર સોમનાથના કોડીનાર (Kodinar)થી 12 કિલોમીટર દૂર આવેલા જંત્રાખડી(Jantrakhadi) ગામમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા નિપજાવેલો મૃતદેહ મળ્યો છે.

આ કેસમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ગામના જ શામજી નામના એક વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

વાસ્તવમાં, 9 વર્ષીય બાળકી સવારે 10 વાગ્યાના અરસામાં શેરીમાં રમતી હતી. આ દરમિયાન બે બાળકોનો પિતા એવો નરાધમ શખ્સે બાળકીને બીડી લેવા દુકાને મોકલી હતી. આ પછી બીડી લઈ પરત આવેલી બાળકીને ઘરમાં પુરી આ નરાધમે માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

શામજીએ બાળકી પર દુષ્કર્મ આચરતી વખતે તે ચીસો ન પાડે એ માટે મોઢે ડૂમો દઇ દીધો હતો. એટલું જ નહિ, આ પછી માસૂમનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ત્યારબાદ તેનો ભાંડો ન ફૂટે તે માટે બાળકીના મૃતદેહબને કોથળામાં ભરી લાશને અવાવરું જગ્યાએ ફેંકી આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે. તેમજ રોષે ભરાયેલા ગ્રામજનો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રામજનોએ કહ્યું છે કે, આ આરોપીને ફાંસીના માંચડે ચડાવી દો. આરોપીના પરિવારજનો પણ ફાંસી મળે તેવી રજૂઆત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *