ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુંમાં કરવામાં આવ્યો ફેરફાર અને લદાયા કડક નિયંત્રણો- જાણો શું રહેશે ચાલુ અને બંધ?

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)એ ધીમે ધીમે માથું ઉચક્યું છે. સાથે ઓમિક્રોન(Omicron)ના કેસોમાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં ગુજરાત સરકાર આ મહામારી સામે લડવા કેટલી સજ્જ છે તે તો આવનારો સમય જ બતાવી શકશે. રાજ્યમાં દિવસેને દિવસે ઢગલાબંધ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.

છેલ્લા થોડાક દિવસથી કોરોનાના કેસનો સતત રાફડો ફાટી રહ્યો છે જેને લઇને રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી રહી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી છે જેમાં કોરોનાને કાબૂમાં લેવા માટે શું કરવુ તે અંગેની તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

રાત્રિ કરફ્યુ રાજયના અમદાવાદ શહેર, વડોદરા શહેર,સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જુનાગઢ શહેર, ગાંધીનગર શહેર, ઉપરાંત વધુ બે નગરો આણંદ શહેર અને નડીયાદમાં દરરોજ રાત્રિના ૧૦.૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધી રાત્રિ કર્ફ્યું અમલમાં રહેશે.

10 શહેરોમાં રાત્રી કર્ફ્યું લંબાવાયો સાંજે 10 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે રાત્રી કર્ફ્યું, 31 તારીખ સુધી ધોરણ 1 થી 9 નું ઓફલાઈન શિક્ષણ બંધ, હોટેલ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, ST બસોમાં 75% સુધી મુસાફરો બેસાડી શકાશે, અંતિમ ક્રિયામાં 100 અને લગ્નમાં 400 લોકોને જ મંજુરી, ટ્યુશન કલાસીસ 50% ક્ષમતા સાથે શરુ રાખી શકાશે, સિનેમા ઘર, વાંચનાલય,જીમ, વોટર પાર્ક, સ્વીમીંગ પુલ 50% ક્ષમતા સાથે શરુ રાખી શકાશે, એસેમ્બલી હોલ અને મનોરંજનના સ્થળો 50% ક્ષમતા સાથે શરુ રાખી શકાશે, જાહેર બાગ બગીચા 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે, શાળા કોલેજ અને અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ, ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડ લાઈન પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજાઈ શકશે. ફૂડ ડીલીવરીને રાત્રે 11 વાગ્યા સુધી જ મંજુરી આપવામાં આવશે.

રાત્રી કર્ફ્યુના સમયગાળા દરમિયાન નીચે જણાવેલ સેવાઓ/પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે:
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ, મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા, ઇન્ટરનેટ /ટેલિફોન/મોબાય સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંહિત સેવાઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ ડિઝલ એલ.પી.જી./સી.એન.જી, /પી,એને જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ કોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાટશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવા, પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ ચાલુ રાખી શકાશે.

કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન પરવડન અને પુરવઠા વ્યવસ્થા, ઉક્ત તમામ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ, આતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરોમાં વ્યાપાર સેવા, તમામ પ્રકારના ઉત્પાદન ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ સે પડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

સુરત પ્રભારી મંત્રી કનુ દેસાઈએ કોરોનાને લઇ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તેઓએ કહ્યું કે અત્યારે લોકડાઉન નહીં લગાવવામાં આવે. સુરતમાં જે તૈયારી કરાઇ છે તેની સમીક્ષા કરવામાં આવી છે. હાલમાં તો બધા ઓક્સિજન પ્લાન્ટ ચાલું છે અને હોસ્પિટલોમાં દવા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આંશિક લોકડાઉન લગાવવાનો સરકારનો કોઈ વિચાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *