હત્યા કે આત્મહત્યા? નવસારીમાં શેરડીના ખેતરમાંથી અર્ધનગ્ન હાલતમાં ફાંસો ખાધેલી યુવકની લાશ મળી આવતા ચકચાર

નવસારી(navsari): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. આવી જ એક ઘટના નવસારીમાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, નવસારી (Navsari)ના નેશનલ હાઇવે નંબર 48(National Highway No. 48) નજીક ખડસુપા(Khadsupa) ગામ પાસે આવેલા શેરડીના ખેતરમાં શર્ટ કાઢેલી હાલતમાં નજીકના જ ગામના યુવાનની ફાંસો ખાધેલી લાશ મળતા ચકચાર મચી ગઇ છે. બે દિવસ પહેલા ઘરેથી કપડા લેવા જાઉં છું તેમ કહી ઘરે પરત ફર્યો ન હતો. આ બાબતે મૃતકના પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યું છે કે, મુકેશભાઈ હળપતિ નામના યુવક નવસારી તાલુકાના નવાતળાવ ગામે તેમના બે દીકરા સાથે રહે છે. જેમાં નાનો પુત્ર ચેતન હળપતિ નવસારીની ગાર્ડા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. મૃતક ચેતન હળપતિ 28મી મેના રોજ ઘરેથી કપડાં લેવા જાઉં છું તેમ કહી ગયો હતો. મોદી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી હતી, તેમ છતાં પણ તે મળ્યો નહોતો. આ પછી મંગળવારના રોજ ને.હા.નંબર 48 પાસે આવેલ ખડસુપા પાટીયા નજીક શેરડીના ખેતરમાંથી ચેતનની અર્ધનગ્ન અવસ્થામાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યાર પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકની લાશને પીએમ માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો કે મૃતકની લાશ જોતા ગ્રામજનો તેની હત્યા થઈ હોવાનું માની રહ્યાં છે. જોકે મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટમાં જાણવા મળશે તેવી માહિતી પોલીસે આપી હતી.

ચેતન ક્યારેય પણ આપઘાત કરી શકે નહી, સ્થાનિકોનો એક જ મત:
સથાનિક લોકોના જણાવ્યા અનુસાર, મૃતક ચેતન અભ્યાસમાં સારો હતો. તે હાલ એસવાયબીએમાં અભ્યાસ કરતો હતો. જેને કોઈ પણ પ્રકારનું વ્યસન પણ ન હતું. ચેતન મોબાઈલ લઈને ગયો હતો. તે બાબતે તેમના પરિવારજનોએ ફોન અને મેસેજ પણ કર્યા હતા પણ કોઈ જવાબ આવ્યો ન હતો. બે દિવસ પછી તેની લાશ મળી તે પણ શર્ટ કાઢેલ હાલતમાં. આપઘાત કરવાનો હોય તો કોઈ શર્ટ કેમ કાઢે, તેના હાથમાં માટી પણ લાગી હતી. જોકે આ વા અનેક પ્રશ્નો મૃતક ચેતન હળપતિ છોડી ગયો છે.

ઘરે બોલાચાલી થઇ હોવાની શક્યતા, તેથી ઘર છોડ્યું હશે
ઘરે ફેમિલી સાથે કોઈ વાત બાબતે કંઈ બન્યું હશે, જેને પગલે યુવાન ઘર છોડી ચાલ્યો ગયો હશે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *