અમિત શાહના ગૃહ મંત્રી બન્યા બાદ હાર્દિકને લાગી ગયો ડર? કહ્યું મને મારી નાખવામાં આવશે…

Published on Trishul News at 8:25 PM, Fri, 31 May 2019

Last modified on May 31st, 2019 at 8:25 PM

મોદી કેબિનેટના મંત્રીઓની આજે ખાતા ફાળવણી કરી દેવામાં આવી છે, જેમાં ગાંધીનગર સીટથી જીતેલા અમિત શાહને હોમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે.

જ્યારે રાજનાથ સિંહને ડિફેન્સ મિનિસ્ટ્રી આપી દેવામા આવી છે અને નિર્મલા સીતારમનને નાણાં ખાતું આપવામાં આવ્યું છે. હાલમાં તો દરેક જગ્યાએ અમિત શાહને આપવામાં આવેલા ખાતાની વાત ચાલી રહી છે, ત્યારે થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે પણ પોતાનું નિવેદન અમિત શાહ અંગે આપ્યું હતું.

હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું હતું કે, અમિત શાહજી ગૃહ મંત્રી બન્યા છે, એટલા માટે હું હાર્દિક શુભકામનાઓ આપું છું. પરંતુ આજે અમુક ભક્તોના મારા પર મેસેજ આવ્યા કે હવે તારું શું થશે હાર્દિક. એટલે અમિત શાહના ગૃહ મંત્રી બન્યા બાદ ભક્તો ખૂબ ખુશ છે. ભાજપા વિરુદ્ધ લડનારા અમારા જેવા યુવાઓને મારી નાખવામાં આવશે? ચાલો જેવી ભગવાનની ઇચ્છા!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "અમિત શાહના ગૃહ મંત્રી બન્યા બાદ હાર્દિકને લાગી ગયો ડર? કહ્યું મને મારી નાખવામાં આવશે…"

Leave a comment

Your email address will not be published.


*