‘મહાદેવ બોલાવી રહ્યા છે, જય મહાકાલ!’ કહી શિવ ભક્તે ગ્રાઇન્ડરથી પોતાનું ગળું કાપી નાખ્યું

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના હરદોઈ(Hardoi)માં આપઘાતનો ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. વ્યક્તિએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના હરદોઈ(Hardoi)માં આપઘાતનો ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. વ્યક્તિએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે ‘સાવન મહિનો છે અને મહાકાલ બોલાવી રહ્યા છે.’ આ વ્યક્તિએ આપઘાત કરવા માટે ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો હતો. આ સનસનીખેજ ઘટના સામે આવી ત્યારથી સમગ્ર વિસ્તારમાં આ આપઘાતની જ ચર્ચા ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર, વ્યક્તિએ રૂમનો દરવાજો બંધ કરીને ગ્રાઇન્ડર વડે પોતાનું જ ગળું કાપી નાખ્યું હતું. જ્યારે રૂમનો દરવાજો તોડ્યો તો બધા હેરાન રહી ગયા. રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, ‘જેમાં મૃતકે લખ્યું છે કે, ‘સાવનનો મહિનો છે, મહાદેવ મને બોલાવી રહ્યા છે.’ મારી મૃત્યુમાં કોઈનો હાથ નથી. પરિવારના સભ્યો નિર્દોષ છે. આશા છે કે તમે લોકો બુદ્ધિશાળી છો, શક્ય હોય તો અમને માફ કરશો જય જય શ્રી મહાકાલ.’ સુસાઈડ નોટમાં મૃત્યુનું આ કારણ જાણીને સૌ કોઈ ચોંકી ગયા.

સંજય પૂજામાં મગ્ન રહેતો:
પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક ઘર મંદિરમાં પૂજા કરતો હતો અને આજે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું. આ ચોંકાવનારો મામલો હરદોઈ જિલ્લાના પોલીસ સ્ટેશન કોતવાલી શહેર વિસ્તારના હરિપુરવા ગામનો છે. 50 વર્ષીય સંજય દ્વિવેદી ઘરના પોતાના રૂમમાં ગયા અને દરવાજો બંધ કરી દીધો. અંદર જઈને સંજયે ગ્રાઇન્ડર વડે પોતાનું ગળું કાપી નાખ્યું. પત્નીએ દરવાજો ખટખટાવ્યા બાદ પણ લાંબા સમય સુધી દરવાજો ન ખૂલતાં પત્નીએ પુત્રો અભિષેક, અનુજ અને હિમાંશુને જાણ કરી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને ઘટનાની જાણ થતા તરત જ ઘટનાસ્થળે આવી હતી.

દરવાજો ખોલતાની સાથે જ હોશ ઉડી ગયા:
કોતવાલી શહેર વિસ્તારના હરિપુરવા ગામના સંજય દ્વિવેદી (50) ભગવાન શિવના ભક્ત હતા. શુક્રવારે સવારે રાબેતા મુજબ જાગીને સ્નાન કરી પૂજા પાઠ કર્યા. આખો દિવસ પસાર કર્યા પછી, તે સાંજે ટેરેસ પરની એક રૂમમાં ગયો અને દરવાજો બંધ કરીને પૂજા કરવા લાગ્યો. લાંબા સમય સુધી તે નીચે ન આવતાં તેની પત્ની રાત્રે 10 વાગ્યે કપડાં લેવા માટે ટેરેસ પર ગઈ હતી અને રૂમમાંથી કોઈ અવાજ ન આવતાં ધક્કો માર્યો હતો. દરવાજો ન ખૂલતાં પુત્રોને બોલાવ્યા.

જ્યારે પોલીસે દરવાજો તોડ્યો તો અંદરનું દ્રશ્ય જોઈ બધા ચોંકી ગયા. રૂમમાં મંદિર પાસે સંજયની ચીરાઇ ગયેલી લાશ પડી હતી, તેના ગળાની બાજુમાં લોહીથી લથબથ ગ્રાઇન્ડર પડેલી હતું. પૂજા સ્થળ પાસે એક સુસાઈડ નોટ હતી. રૂમની દિવાલ પર લોહીના છાંટા પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *