ટ્રક અને ખાનગી બસ વચ્ચેની ભયંકર અથડામણમાં 5 લોકોના મોત, અન્ય 22 ઘાયલ – ‘ઓમ શાંતિ’

રામપુર(Rampur): અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. યુપી (UP)ના રામપુરમાં શનિવારે મોડી રાત્રે થયેલા એક દર્દનાક માર્ગ અકસ્માતમાં…

રામપુર(Rampur): અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. યુપી (UP)ના રામપુરમાં શનિવારે મોડી રાત્રે થયેલા એક દર્દનાક માર્ગ અકસ્માતમાં લગભગ 5 લોકોના મોત થયા હતા, જ્યારે 22 મુસાફરો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત નેશનલ હાઈવે 24 પર કોતવાલી સિવિલ લાઈન્સના બાયપાસ પાસે થયો હતો. જ્યાં એક ટ્રક અને ખાનગી બસ સામસામે ધડાકાભેર અથડાઈ હતી. મુસાફરોથી ભરેલી ખાનગી બસ શાહજહાંપુરથી દિલ્હી જઈ રહી હતી. અકસ્માતની જાણ થતાં પહોંચેલી પોલીસ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ હતી. એક મુસાફરની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટ્રક ચાલકની નિદ્રાને કારણે અકસ્માત થયો હોવાની આશંકા છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *