જાણો એવું તો શું થઇ ગયું કે, પિતાએ 3 બાળકોને કેનાલમાં ફેકી દીધા અને પોતે પણ કરી આત્મહત્યા- જાણો સમગ્ર ઘટના

હાલમાં એક એવી હદયસ્પર્શી ઘટના સામે આવી છે જેમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ આખા પરિવારને જ ખતમ કરી દીધો. આ ઘટનામાં પતિનો તેની પત્ની સાથે ઝગડો…

હાલમાં એક એવી હદયસ્પર્શી ઘટના સામે આવી છે જેમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ આખા પરિવારને જ ખતમ કરી દીધો. આ ઘટનામાં પતિનો તેની પત્ની સાથે ઝગડો થયો હતો. પત્ની સાથે ઝઘડો થયા બાદ તે પોતાના ત્રણ બાળકોને લઈ ઘરેથી રવાના થઇ ગયો હતો. અનિલના ભાઈ મંજીતે જણાવ્યું હતું કે, અનિલને પોતાની પત્ની પર શક હતો. અનિલની પત્નીને કોઈ બીજા યુવક સાથે સંબંધ હતો.

જેથી બંનેમાં ઝઘડા થતા રહેતા હતા. આ ઝગડાથી કંટાળીને તે ઘરેથી ત્રણેય બાળકોને લઈ રવાના થઇ ગયો હતો. તેણે આત્મહત્યા કરતાં પહેલા ત્રણેય બાળકોને નહેરમાં ફેંકી દીધા અને બાદમાં તેણે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા બાદ તેની લાશ એક પુલની નીચેથી મળી આવી હતી.

બાળકોના કાકા મંજીતે જણાવ્યું કે, મોબાઇલ લોકેશનના આધાર પર આશંકા ગઈ કે બાળકોને નહેરમાં ફેંકવામાં આવ્યા છે. આ દરમિયાન મોડી રાત્રે 8 વર્ષની દીકરી અંશુ અને 6 વર્ષના દીકરા વંશની લાશને કેનાલમાંથી મળી આવી હતી. બંનેની લાશોને જનરલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી. આ ઉપરાંત, હજુ ત્રણ વર્ષના યશની શોધખોળ ચાલી રહી છે.

ત્રીજા બાળકની શોધખોળ ચાલુ
તપાસ અધિકારી હરિનારાયણે જણાવ્યું કે, અનિલ પોતાના ત્રણ બાળકોને સાથે લઈને નીકળી ગયો હતો. જ્યાં પુલની નીચે ઇકો કારમાં તેની લાશ મળી આવી હતી. તેણે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મોબાઇલ લોકેશનના આધાર પર ત્રણ બાળકોને કેનાલમાં ફેંકવાની આશંકા થઈ રહી હતી. જેમાં બે બાળકોની લાશ મળી આવી હતી અને ત્રીજા બાળકની હાલ શોધખોળ ચાલી રહી છે.

પત્ની અને સાળા પર કેસ નોંધાયો
જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં અનિલની પત્ની તથા સાળા સામે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે તેની ધરપકડ હજુ કરવામાં આવી નથી. મંજિતે જણાવ્યું કે જો તેની ભાભીએ-ભાઈની સાથે ઝઘડો ન કર્યો હોત અને પ્રેમી સાહિલનો સાથ છોડી દીધો હોત તો તેનો ભાઈ તથા બાળકો હાલ જીવતા હોત. મંજિત દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ કિસ્સો હરિયાણામાંથી સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *