સાવચેત: આવનારા 125 દિવસ અતિ મહત્વના, મોદી સરકારે ત્રીજી લહેરને લઈને આપી ચેતવણી

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસની મહામારી પર ફરીથી દેશની સમગ્ર જનતાને સાવચેત અને સતર્ક રહેવા કહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારના રોજ કહ્યું કે આવનારા 125 દિવસ દેશવાસીઓ માટે ખૂબ જ મહત્વના છે. સાથે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં કોરોનાના કેસો ભલે ઘટી રહ્યા હોય પણ ત્રીજી લહેરને લઈને આપણે સૌએ ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે.

નીતિ આયોગના સભ્ય ડો વી.કે પોલે કહ્યું છે કે, કોરોના ની ત્રીજી લહેરની વાત એટલા માટે થઈ રહી છે કે આપણે હાર્ડ ઇમ્યુનીટી પર પહોંચ્યા નથી. દેશમાંથી હજુ પણ કોરોના સંક્રમણનો ખતરો ગયો નથી. આપણે સૌ લોકોએ સાવચેત રહેવું જોઈએ અને દરેક લોકોએ આ જવાબદારી ને સમજવી પડશે સાથે જ તેમનું પાલન કરવું પડશે.

AIIMS ના નિર્દેશક ડોક્ટર રણદીપ ગુલેરિયા એ ભારતમાં કોરોનાવાયરસ ની ત્રીજી લહેરને લઈને લોકોને સૂચના આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરીયાએ કહ્યું છે કે જો બધા જ પ્રતિબંધ હટાવી લેવામાં આવે તો કોરોનાં ની ત્રીજી લહેર બીજી લહેર કરતા ખૂબ જ વધુ ભયંકર સાબિત થઈ શકે છે. સાથી તેમણે કહ્યું છે કે લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવી અને લોકડાઉન પરથી તમામ પ્રતિબંધ હટાવી લેવા એ ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *