Rajkot / ધૂળેટીના દિવસે પતિ રમ્યો લોહિયાળ હોળી- પોતાના જ પરિવાર પર છરી લઈને તૂટી પડ્યો, બે બાળકોને મોતને ઘાટ ઉતારી પત્ની સાથે…

Rajkot (રાજકોટ): સમગ્ર દેશમાં આવતી કાલે ધુળેટીનો પર્વ મનાવામાં આવી રહ્યો હતો. ત્યારે ગુજરાત રાજ્યમાં આવેલા Rajkot શહેરમાં ધુળેટીનો પર્વ રક્તરંજિત બન્યો છે. Rajkot શહેરમાં વહેલી સવારે માતાજીના નામે માનસિક અસ્થિર મગજના એક નેપાળી પતિએ પોતના જ પરિવાર પર છરી વડે હુમલો કર્યો હતો.

આ ઘટનામાં 3 માસની નવજાત દીકરીનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું છે. જયારે 4 વર્ષનો દીકરો અને પત્નીને ગંભીર ઈજા થાય છે. ગંભીર ઈજા હોવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જયારે સારવાર દરમિયાન 4 વર્ષના માસુમ દીકરાનું કરુણ મોત નીપજ્યું છે જયારે હાલ પત્નીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ સમગ્ર ઘટના બુધવારે વહેલી સવારે સર્જાય હતી. આ ઘટનામાં 3 માસની નવજાત દીકરી લક્ષ્મીને સારવાર મળે તે પહેલાજ મોત નીપજ્યું હતું. જયારે 4 વર્ષનો દીકરો નિયતનું પણ મોત સારવાર દરમ્યાન નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા તરતજ પોલીસ દ્વારા હત્યારા પિતા પ્રેમ બહાદુર નેપાળીની ધરપકડ કરવામાં આવી છે.

જયારે હજુ પણ પત્ની બસંતી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. પોલીસે હાલ આરોપી પ્રેમની ધરપકડ કરી છે અને સાથે સાથે મૃતક બાળકીની માતા બસંતીનું નિવેદન પણ લીધું છે. પત્ની બસંતી સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, મારો પતિ પ્રેમ માનસિક અસ્થિર છે.

પ્રેમને ”માતાજી” આવતાં હુમલો કર્યો છે. માતાજીએ એમ કહ્યું કે પરિવારના બધાને મારી નાખ, એટલે પ્રેમએ છરી વડે હુમલો કર્યો હતો. તેને વધુમાં કહ્યું કે, મારો પતિ કોઈ કામધંધો કરતો નથી, તે વાહનો સાફ કરવા માટે જાય છે. હાલ પોલીસે બસંતીના આ નિવેદનને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બસંતી સાથે વધુ વાત કરતા તેણે કહ્યું કે, પતિ પર જાણે ખૂન સવાર હોય તેમ તેણે ત્રણ માસની માસુમ દીકરી લક્ષ્મીને પણ છોડી ન હતી. તેણે લક્ષ્મી પર પણ છરી વડે હુમલો કર્યો હતો અને આ ઘટનામાં ઘટના સ્થળેજ લક્ષ્મીનું મોત થયું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *