જો અંગ્રેજો આઝાદી માટે ઉપવાસની પરમિશન આપતા હતા તો પોલીસને શુ ચૂક આવે છે ? : ગબ્બર ટીમ

‘જો અમને ઉપવાસ કરવા દેવામાં નહીં આવે તો આંદોલનનું સ્વરૂપ બદલાઈ જશે’ આવતી કાલે તા.24ના રોજ તક્ષશિલા પાસે લોકોએ આમરણાંત ઉપવાસ પર ઉતરવાની વાત કરી…

‘જો અમને ઉપવાસ કરવા દેવામાં નહીં આવે તો આંદોલનનું સ્વરૂપ બદલાઈ જશે’

આવતી કાલે તા.24ના રોજ તક્ષશિલા પાસે લોકોએ આમરણાંત ઉપવાસ પર ઉતરવાની વાત કરી છે. સરથાણા પી.આઈ. અને પોલીસ કમિશનર કચેરીમાંથી આ મામલે પરમિશન નહિ અપાતા આ મામલો આવનારા દિવસોમાં તોફાની બનવાની શક્યતા જણાઈ રહી છે.

તેમાં દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી ને જો અંગ્રેજો સામે કૂચ કરવા અમે ઉપવાસ કરવા પરમિશન મળતી હતી તો પછી આઝાદ ભારત દેશમાં પોલીસ કેવી રીતે કોઈને ઉપવાસ કરતા રોકી શકે?

બાવીસ બાળકોના મોત પાછળ તમામ જવાબદાર અધિકારીઓ ને સજા થાય… પોલીસ બાવીસ બાળકો માટે અમારી લડાઈને સન્માન કરે તે જરૂરી છે. આ લડાઈ તે અમે અમારા માટે નહીં પરંતુ અમારા શહેર માટે કરી રહ્યા છીએ. જો અમને રોકવામાં આવ્યા તો આ આંદોલનનું સ્વરૂપ બદલાઈ જશે.

પોલીસ અમને રામધૂન કરવા દેતી નથી. આ ઉપરાંત બાવીસ બાળકોના મોત પછી તમામ જવાબદાર અધિકારીઓ ને સજા થાય તે માટેની અમારી લડાઈ છે.

…તો આ લડાઈ ક્યાં અને કેવી રીતે ખોટી છે. આ ઉપરાંત અમે અહિંસક માર્ગે લડત લડવા માંગીએ છીએ. તેમ છતાં પોલીસ વાળા આ લડાઈ અટકાવવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *