સરદાર પટેલે જ્યાંથી આંદોલન કરીને અંગ્રેજ સરકાર હલાવી દીધી હતી એવા બારડોલીમાં માંગ પૂરી નહિ થાય તો આદિવાસી સમાજ કરશે આંદોલન

ભારત (India)માં જે સમયે અંગ્રેજ સરકાર હતી, એ દરમિયાન સરદાર પટેલ(Sardar Patel) તેમજ અન્ય ક્રાંતિવીરોએ ભેગા મળી જે રીતે આંદોલન(Agitation) કરી અંગ્રેજ સરકારને હલાવી દીધી…

ભારત (India)માં જે સમયે અંગ્રેજ સરકાર હતી, એ દરમિયાન સરદાર પટેલ(Sardar Patel) તેમજ અન્ય ક્રાંતિવીરોએ ભેગા મળી જે રીતે આંદોલન(Agitation) કરી અંગ્રેજ સરકારને હલાવી દીધી હતી, હાલ આવા જ કઈક સમાચાર બારડોલી (Bardoli)માંથી સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, અહીના આદિવાસી લોકોનું કહેવું છે કે, જો સરકાર તેમની માંગ પૂરી નહી કરે તો તેઓ પણ આંદોલન કરશે.

આ અંગે મજુર અધિકારી મંચના નેજા હેઠળ દક્ષીણ ગુજરાતમાં શેરડી કાપણીની કામગીરી અર્થે આવતા મુકાદામોની એક મીટીંગ બારડોલીમાં વાલોડ ચાર રસ્તા પાસે એક આંબા નીચે બોલાવવામાં આવી હતી. જેમાં આદિવાસીઓએ માંગ કરી હતી કે, સરકાર દ્વારા 5 ફેબ્રુઆરીના રોજ શેરડી કાપણીના કામદારોના લઘુત્તમ વેતનના ડ્રાફ્ટ નોટીફીકેશનને લઘુત્તમ વેતનના જાહેરનામાં તરીકે સત્વરે જાહેર કરવામાં આવે.

બારડોલીના આદિવાસીઓએ કહ્યું કે, જો આ મુજબ નહિ કરવામાં આવે તો શેરડી કાપણીના તમામ મુકદમો અને મજુરો હવે આવતી સીઝન માટે આ કામ અંગેનો કરાર કરશે નહિ. આ બાબત તેઓએ સર્વસંમતિથી જાહેર કરી છે. તેમજ શબરી ધામ, સુબીર મુકામે આ જાહેરનામાં લાગુ કરવા સંદર્ભે મહાસંમેલન કરવાનું સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ મહાસંમેલન 26 મેં 2022ના રોજ યોજવામાં આવશે. આદિવાસીઓએ જણાવ્યું કે, આ મહાસંમેલન યોજાય ત્યાં સુધીમાં જો સરકાર દ્વારા આ નામું જાહેર કરવામાં નહિ આવે તો તેઓ દ્વારા આ અંગે સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *