56 વર્ષીય દર્દીએ અમદાવાદની મહેતા હોસ્પિટલના છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

અમદાવાદ(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત(Suicide) કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)ના…

અમદાવાદ(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત(Suicide) કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)ના અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસ(Asarwa Civil Hospital Campus)માં આવેલી યુએન મહેતા હોસ્પિટલ(UN Mehta Hospital)માં આજે એક દર્દીએ છઠ્ઠા માળે(Sixth floor)થી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, છઠ્ઠા માળેથી છલાંગ લગાવનાર દર્દી આશરે 56 વર્ષના છે. ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત આ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તે દરમિયાન જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ, આ ઘટનાથી હોસ્પિટલમાં ભાગદોડ મચી જવા પામી હતી.

ઘટના અંગે વધુમાં મળતી માહિતી મુજબ, મૃતક વ્યક્તિએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં દર્દીની ઓળખ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કોઈ શંકાસ્પદ કારણ છે કે નહીં અને મૃતક પાસેથી કોઈ અંતિમ ચિઠ્ઠી છે કે નહિ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *