અમદાવાદમાં ભાડુઆતે નજીવી બાબતે મકાન માલિકના ગુપ્ત ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જીકી દર્દનાક મોત આપ્યું

ગુજરાત(Gujarat)ના અમદાવાદ(Ahmedabad) શહેરના ચાંદખેડા વિસ્તાર(Chandkheda area)માં મકાન ભાડે આપવામાં આવ્યું હતું. જયારે મકાનના ભાડાને લઈને મગજમારી થતા ભાડુઆતે આ વાતની દુશ્મનાવટ રાખતા મકાન માલિકની હત્યા કરી નાખી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ભાડુઆત દ્વારા મકાન માલિકને સોસાયટીની બહારની બાજુ આવેલા ખુલ્લા ખેતરમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ ત્યાં તેણે મકાન મલિકને બોથડ પદાર્થ અથવા તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકીને માલિકના મોઢાના અને ગુપ્તાંગોનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

મળતા અહેવાલ મુજબ મકાન મલોક અમિતકુમાર રેલવે સ્ટોરમાં ઓ.એસ. તરીકે પોતાની ફરજ બજાવે છે. મળતી માહિતી અનુસાર ચાંદખેડા વિસ્તારમાં આવેલ શ્રવણ સોસાયટીમાં તેમના પરિવાર સાથે રહે છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, અમિતકુમારે તેમનું મકાન તેમના એક મિત્ર બાબુસિંગ યાદવની ઓળખાણ દ્વારા સત્યેન્દ્ર સિંહ ઉર્ફે મોનું યાદવને છેલ્લા અઢી મહિનાથી રૂપિયા 3 હજાર ભાડું નક્કી કરીને ભાડે આપવામાં આવ્યું છે. જયારે ગત રોજ સાંજના સમય દરમિયાન ભાડુઆત સત્યેન્દ્રસિંહના ઘરે મકાન માલિક તેમજ તેના મિત્ર બાબુસિંગ યાદવ પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર સાંજે જ્યારે તેઓ એક સાથે જમવા બેઠા હતા. તે દરમિયાન ભાડાને લઈને થોડી તકરાર થઈ ગઈ હતી. ત્યાર પછી બાબુસિંગ યાદવ ભાડુઆત સાથે સત્યેન્દ્ર સિંહને તેમની સોસાયટીની બહાર લઈ આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, સત્યેન્દ્ર સિંહ રાત્રે જયારે ઘરે પાછો આવે છે ત્યારે તે એક બેગ લઈને ફરીથી ઘરની બહાર જતો રહે છે. ત્યાર પછી તે આશરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ અમિતકુમારના ઘરે જાય છે. જયારે તે અમિતકુમારને ઘરની બહાર બોલાવે છે અને ત્યારપછી તે બંને એક સાથે સોસાયટીની બહાર ચાલતા ચાલતા જાય છે. જયારે અમિતકુમારની પત્નીને લાગે છે કે, તેઓને કઈ કામ હશે તે બાબતે બાર જઈ રહ્યા છે આ સમજીને તે સુઈ જાય છે. પરંતુ બીજા દિવસે જયારે પાડોશીએ તેના ઘરે આવીને અમિતકુમારની પત્નીને કહ્યું કે સોસાયટીની સામેની બાજુ આવેલ ખુલ્લા ખેતરમાં ક્રિકેટ મેચ રમવાની પીચ પર અમિત કુમાર જેવા જ કોઈ વ્યક્તિનો મૃતદેહ જોવા મળ્યો છે.

આ વાતની જાણ થતાની સાથે જ અમિતકુમારના પત્ની તાત્કાલિકપણે દોડતા દોડતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જયારે ત્યાં પહોંચ્યાં બાદ જોવા મળે છે કે, તેમના પતિ અમિતકુમારના મોઢાને ભાગે ગંભીર ઇજાઓ થઇ હોય છે. તેમજ આ ઘટના અંગે સાબરમતી પોલીસને જાણ કરવામાં આવી હતી. જયારે પોલીસ તાત્કાલિકપણે ઘટનાસ્થળ પર આવે છે. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર કેસને લઈને હત્યાની ફરિયાદ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *