અમદાવાદમાં ફોન બન્યો દુષ્કર્મનું કારણ: નરાધમે 8 વર્ષની બાળકીને મોબાઈલની લાલચ આપી કર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય

Ahemdabad Crime: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં હૈયું હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક નરાધમે હેવાનિયતની(Ahemdabad Crime) હટ વટાવી દીધી છે અને એક 8 વર્ષની બાળકીને પોતાની હવસનો ભોગ બનાવી હોવાની વિગતો સામે આવી છે.જેમાં 8 વર્ષની બાળકીને નરાધમએ મોબાઈલની લાલચ આપી દુકાન પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં આ અંગે બાળકીના પરિવારને જાણ થતા તેમને આ નરાધમને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

પોલીસે આરોપીની કરી ધરપકડ
આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એક આઠ વર્ષની બાળકીને નરાધમએ મોબાઈલની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.જે બાદ સમગ્ર ઘટનાની જાણ બાળકીએ પોતાની માતાને કરતા રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ત્યારે ફરિયાદના આધારે પોલીસે મૂળ બિહારના બલુઆ ગામના રહેવાસી તબરેજ આલમ મોહંમદ ઈશાક અંસારી નામના આરોપીની ધરપકડ કરી છે.

પોક્સો અને કલમ 376 હેઠળ ફરિયાદ દાખલ
રખિયાલમાં પારસ સ્કૂલ પાસે બનાવ બન્યો હતો. જે અંતર્ગત પોક્સો અને કલમ 376 હેઠળ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપેલી વિગતો મુજબ આરોપી ભરત કામના કારખાનામાં કામ કરતો હતો તેમજ મૂળ બિહારનો રહેવાસી છે.

ઘટનામાં બાળકીને ગંભીર ઇજા પહોંચી છે. બીજી તરફ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ત્યારે 8 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામ્યો છે.