આવનારા ૧૦ દિવસ નક્કી કરશે વિરાટ કોહલીનું ભવિષ્ય! BCCI પાસે કોહલીની જગ્યાએ અનેક સારા વિકલ્પ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) માટે અત્યારે કંઈ સારું થઈ રહ્યું નથી. છેલ્લા ત્રણ વર્ષથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા કોહલીને વધુ એક…

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) માટે અત્યારે કંઈ સારું થઈ રહ્યું નથી. છેલ્લા ત્રણ વર્ષથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા કોહલીને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. મળતી માહિતી અનુસાર, ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોને લાગે છે કે વિરાટ હવે T20 ટીમના મિડલ ઓર્ડરમાં ફિટ નથી. આગામી 10 દિવસમાં ઈંગ્લેન્ડમાં(England) T20 અને ODI આ બે શ્રેણી રમાશે. આવી સ્થિતિમાં જો તેનું બેટ ઈંગ્લેન્ડ સામે નહીં ચાલે તો તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે. મેનેજમેન્ટને લાગે છે કે મિડલ ઓર્ડર માટે વિરાટ કોહલી કરતાં વધુ સારો વિકલ્પ રિષભ પંત, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક અને દીપક હુડા હશે.

વર્લ્ડ કપમાંથી બહાર થવાની શક્યતા 
ટી20 ટીમમાં કોહલીના સ્થાન અંગે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સ્પષ્ટ નથી. ટીમના ટોચના ખેલાડી રોહિત શર્મા, ઋષભ પંત અને હાર્દિક પંડ્યા વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીનો ભાગ હશે, પરંતુ વિરાટને ત્યારે જ તક આપવામાં આવશે જ્યારે તે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં સારું પ્રદર્શન કરશે. જો આમ નહીં થાય તો તેને ટી20 ટીમની સાથે સાથે વર્લ્ડ કપની ટીમમાંથી પણ બહાર થવાનો વારો આવશે.

ટીમ મેનેજમેન્ટના નિર્ણયએ કર્યો ઈશારો
ટીમ મેનેજમેન્ટના એક નિર્ણયથી કોહલીની ટી-20 કારકિર્દી ખતરામાં હોવાનો સંકેત મળ્યો છે. બુધવારે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે જે ટીમની પસંદગી કરવામાં આવી છે તે માત્ર વનડે શ્રેણી માટે છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં કોહલીનું પ્રદર્શન જોવા મળશે તે સ્પષ્ટ છે. શિખર ધવનને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની કમાન સોંપવામાં આવી છે. સાથે જ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

છેલ્લા બે વર્ષથી ક્રિકેટના મેદાન પર સરેરાશ પ્રદર્શન કરી રહેલા વિરાટ કોહલીનું બેટ IPL-15માં પણ શાંત રહ્યું હતું. કોહલી સિઝનની 16 મેચોમાં 22.73ની એવરેજથી માત્ર 341 રન જ બનાવી શક્યો હતો. 2009 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોહલીની આઈપીએલ સિઝનમાં સરેરાશ 25થી ઓછી છે.

આ વર્ષે વિરાટ કોહલી માત્ર 2 T20 મેચ રમ્યો છે. આ દરમિયાન તેના બેટમાંથી 34.50ની એવરેજથી 69 રન નીકળ્યા છે. તે જ સમયે, 2021 માં, વિરાટનું બેટ T20 ક્રિકેટમાં જોરદાર ચાલ્યું હતું. તેણે ભારત માટે 10 મેચ રમી અને 74.75ની શાનદાર એવરેજથી 299 રન બનાવ્યા.

ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ એવી ટીમ ઈચ્છે છે જે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે ફિટ હોય. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું સ્થાન પણ T20 ટીમમાં નિશ્ચિત નથી થઈ રહ્યું. તેમના સ્થાને અર્શદીપ સિંહને તક આપવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *