તુર્કી ભૂકંપમાં હોમાયો ભારતીય યુવક, કાટમાળ નીચેથી મળ્યા શરીરના ટુકડેટુકડા- ‘ઓમ શાંતિ’

Earthquake In Turkey: તુર્કીમાં આવેલા ભૂકંપમાં ભારતના એક યુવકે પણ જીવ ગુમાવ્યો હતો. મૂળ ઉત્તરાખંડ(Uttarakhand)ના પૌરી ગઢવાલ(Pauri Garhwal)ના 36 વર્ષીય વિજય કુમાર ગૌર(Vijay Kumar Gaur…

Earthquake In Turkey: તુર્કીમાં આવેલા ભૂકંપમાં ભારતના એક યુવકે પણ જીવ ગુમાવ્યો હતો. મૂળ ઉત્તરાખંડ(Uttarakhand)ના પૌરી ગઢવાલ(Pauri Garhwal)ના 36 વર્ષીય વિજય કુમાર ગૌર(Vijay Kumar Gaur )નો પરિવાર છેલ્લા 6 દિવસથી તેમના પુત્ર સુરક્ષિત હોય તેવી પ્રાર્થના કરી રહ્યો હતો. તેમની પત્ની અને તેમનો 6 વર્ષનો પુત્ર દિવસ-રાત પ્રાર્થના કરતા હતા કે તુર્કીમાં તબાહી વચ્ચે કોઈ ચમત્કાર થાય અને કોઈક રીતે વિજય સુરક્ષિત હોવાના સમાચાર આવે. પરંતુ હોટલના કાટમાળમાંથી વિજયના શરીરના કેટલાક ભાગો મળી આવતા તેની આશા તૂટી ગઈ હતી. વિજય ગૌર જ્યાં રોકાયા હતા તે હોટેલ 6 ફેબ્રુઆરીની સવારે ધરાશાયી થઈ ગઈ હતી.

વિજયનો ચહેરો કાટમાળ નીચે ખરાબ રીતે દબાયેલો હતો, તેથી તેના હાથ પર બનાવેલા ‘ઓમ’ના ટેટૂથી તેની ઓળખ થઈ હતી. તુર્કીમાં ભારતીય દૂતાવાસે શનિવારે ટ્વીટ કર્યું હતું કે, ‘અમે દુઃખ સાથે જાણ કરીએ છીએ કે 6 ફેબ્રુઆરીના ભૂકંપ બાદ તુર્કીમાં ગુમ થયેલા ભારતીય નાગરિક વિજય કુમારના શરીરના કેટલાક ભાગો મળી આવ્યા છે. તુર્કીના માલત્યામાં એક હોટલના કાટમાળમાંથી તેનો મૃતદેહ કાઢવામાં આવ્યો છે. વિજય ત્યાં તે બિઝનેસ ટ્રીપ પર ગયો હતો.

તુર્કીમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું છે કે, અમે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે શક્ય તેટલી વહેલી તકે તેના મૃતદેહને તેના પરિવાર પાસે લઈ જવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. વિજયના મૃતદેહને સૌથી પહેલા ઈસ્તાંબુલના મોટા શહેર લાવવામાં આવશે. અહીંથી મૃતદેહને દિલ્હી મોકલવામાં આવશે. ભારતીય દૂતાવાસના અધિકારીઓએ તેના પરિવારને કહ્યું છે કે તેના મૃતદેહને કોટદ્વાર પહોંચવામાં 3 દિવસ લાગી શકે છે.

વિજય કુમાર મૂળ પૌરી ગઢવાલ જિલ્લાના ધકસુના ગામનો રહેવાસી હતો. વિજયની પત્ની તેમના બાળક સાથે હાલમાં દેહરાદૂનના બાલાવાલા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. હાલ બંને કોટદ્વારમાં વિજયના મોટા ભાઈ અરુણના ઘરે છે. વિજય ઓક્સી પ્લાન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, બેંગ્લોરમાં પ્લાન્ટ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. વિજયના પરિવારમાં તેની માતા, પત્ની અને 6 વર્ષનો બાળક છે. લગભગ દોઢ મહિના પહેલા વિજયના પિતાનું અવસાન થયું હતું.

વિજય 22 જાન્યુઆરીએ તુર્કીની ઔદ્યોગિક ગેસ સપ્લાય કંપની કુલકુ ગાઝ માટે એસિટિલીન ગેસ પ્લાન્ટ બનાવવા અને કમિશન કરવા માટે અંતાલ્યા ગયો હતો. વિજય ભૂકંપની ઘટનાના માત્ર 14 દિવસ બાદ 20 ફેબ્રુઆરીએ તુર્કીથી ભારત પરત આવવાનો હતો, પરંતુ હવે ત્યાંથી માત્ર તેનો મૃતદેહ પરત આવશે.

તુર્કીમાં ભૂકંપના સમાચાર સાંભળીને દેહરાદૂનમાં રહેતો તેનો પરિવાર પરેશાન થઈ ગયો હતો. વિજયના મોટા ભાઈ અરુણ કુમારે જણાવ્યું કે તેનો ભાઈ 6 ફેબ્રુઆરીથી ગુમ હતો. મેં તેમની સાથે છેલ્લી વખત 6 ફેબ્રુઆરીની સવારે વાત કરી હતી. અરુણ ભારતીય દૂતાવાસના અધિકારીઓના સતત સંપર્કમાં હતો.

વિજયના મોટા ભાઈ અરુણ કુમાર ગૌરે જણાવ્યું કે, વિજય ઓક્સી પ્લાન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં કામ કરતો હતો અને બિઝનેસ ટૂર પર ગયો હતો. અરુણે જણાવ્યું કે આટલા દિવસોથી વિજયનો ફોન વાગી રહ્યો હતો, પરંતુ કોઈ જવાબ આપતું ન હતું. અરુણે વધુમાં જણાવ્યું કે વિજય 20 ફેબ્રુઆરીએ ભારત પરત ફરવાનો હતો.

અગાઉ, ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભૂકંપ પછી એક ભારતીય ગુમ છે અને અન્ય 10 લોકો ફસાયેલા છે, પરંતુ દૂરના વિસ્તારોમાં સુરક્ષિત છે. તુર્કીમાં રહેતા ભારતીયોની સંખ્યા લગભગ 3,000 છે, જેમાંથી લગભગ 1,800 ઇસ્તંબુલ અને તેની આસપાસ રહે છે, જ્યારે 250 અંકારામાં રહે છે અને બાકીના દેશભરમાં ફેલાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *