AAPમાંથી કોંગ્રેસમાં પરત ફરેલા ઈન્દ્રનીલનો ધડાકો- જાણો શા માટે કહ્યું કે, ‘આદમી પાર્ટીથી ડરવાની જરૂર નથી’

ગુજરાત(Gujarat): ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ને માત્ર થોડાંક દિવસો જ બાકી રહ્યા છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીને લઈને ત્રણ યાદી જાહેર કરી દીધી છે. આપ(AAP)માંથી કોંગ્રેસ(Congress)માં…

ગુજરાત(Gujarat): ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ને માત્ર થોડાંક દિવસો જ બાકી રહ્યા છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીને લઈને ત્રણ યાદી જાહેર કરી દીધી છે. આપ(AAP)માંથી કોંગ્રેસ(Congress)માં પરત ફરેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajyaguru)ને રાજકોટ(Rajkot) ઈસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી છે. જે ચારેબાજુ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસ દ્વારા ઇન્દ્રનીલ રાજગુરુને ટીકીટ આપ્યા બાદ તેમને એક નિવેદન આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસે ઇન્દ્રનીલ રાજગુરુને ટીકીટ આપવામાં આવી છે. ત્યારે ઇન્દ્રનીલ રાજગુરુ એ જણાવતા કહ્યું હતું કે, આ મારી હોમ પીચ છે. હું 2012માં આ જ બેઠક પર ધારાસભ્ય બન્યો હતો.સાથે જ આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીથી ડરવાની જરૂર નથી. વધુમાં કહ્યું હતું કે,પૂર્વ વિધાનસભા બેઠકોના લોકો ભાજપથી અત્યારે નારાજ છે. લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને જ પાર્ટી દ્વારા મને ટિકિટ આપવામાં આવી છે.

ગઈકાલે રાત્રે કોંગ્રેસની ત્રીજી યાદી થઇ જાહેર:
ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ ઈસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ધારી બેઠક પરથી ડો. કિર્તી બોરીસાગરને ટિકિટ આપવામાં આવી છે. જયારે રાપરથી બચુભાઈ અરેથીયા, વઢવાણથી તરુણ ગઢવી, નાંદોદથી હરેશ વસાવા, નવસારીથી દીપક બારોટ અને ગણદેવીથી અશોકભાઈ પટેલને ટીકીટ આપવામાં આવી છે. નોંધનીય છે કે આ કોંગ્રેસની ત્રીજી યાદી છે. આ પહેલા કોંગ્રેસે બે યાદી જાહેર કરી હતી. આજે 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *