ટ્રેનનો કાચ તોડી મુસાફરના ગળામાંથી આરપાર થયો લોખંડનો સળીયો, ભયાનક દ્રશ્યો જોઈ ધ્રુજી ઉઠ્યા લોકો

અલીગઢ(Aligarh) જિલ્લાના સોમના રેલવે સ્ટેશન પર શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટનાએ હલચલ મચાવી દીધી હતી. અહીં નીલાંચલ એક્સપ્રેસ ટ્રેન (12876) (Neelanchal Express Train)ના જનરલ કોચમાં બેઠેલા મુસાફરના ગળામાંથી લોખંડનો સળિયો પસાર થયો હતો. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર આ દર્દનાક નજારો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

નીલાંચલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચની સીટ નંબર-15 પર મુસાફરી કરી રહેલા મુસાફરના ગળામાંથી લોખંડનો સળિયો પસાર થતાં સોમના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર મોટો અકસ્માત સર્જાયો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મુસાફરની ઓળખ સુલતાનપુરના રહેવાસી હરિકેશ દુબે તરીકે થઈ છે.

માહિતી મળતાની સાથે જ આરપીએફ અને સીઆરપીએફ સહિત રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાની માહિતી મેળવવાનું શરૂ કર્યું. સાથે જ મૃતકના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

આરપીએફ સીઓ કેપી સિંહનું કહેવું છે કે નીલાંચલ એક્સપ્રેસ શુક્રવારે સવારે લગભગ 9.30 વાગ્યે અલીગઢ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર આવી હતી. આગળના જનરલ કોચમાં એક મુસાફર ઘાયલ થયો હોવાની માહિતી મળી હતી.

આ માહિતી પર આરપીએફ અને જીઆરપીની સાથે રેલવેના તમામ કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા. બીજા કોચમાં સીટ નંબર-15 પર મુસાફરી કરી રહેલા પેસેન્જરની ડાબી બાજુથી એક લોખંડની સળીયો ઘૂસી ગયો હતો, જે જમણી બાજુથી પસાર થયો હતો. અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે રેલવે પોલીસ વધુ માહિતી એકઠી કરી રહી છે. આ ઘટના ક્યારે અને ક્યાં બની હતી. સૂત્રોએ પુષ્ટિ કરી કે તે વિસ્તારમાં રેલવે દ્વારા ટ્રેક નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેનો મૃતદેહ અલીગઢ જંકશન સ્ટેશન પર રેલવે પોલીસને સોંપવામાં આવ્યો છે. મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *