Mission Aditya L-1: આવતીકાલે સૂર્યની સફરે નીકળશે આદિત્ય L1, જાણો ક્યાંથી અને ક્યારે ભરશે ઉડાન?

ISRO Mission Aditya L-1: ભારતની અંતરિક્ષ એજન્સી ISROએ 2 સપ્ટેમ્બરે આદિત્ય એલ-1 મિશન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. અને તેને ભારતના સમય અનુસાર 11:50 એ ભારતના હરિ કોટાથી લોન્ચ કરવામાં આવશે. સૃયે આપણા સૌર મંડળનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ગણવામાં આવે છે.અને આપણે આપણી પૃથ્વીને જીવન માટે જરૂરી ઉર્જા પ્રદાન કરીએ છીએ પરંતુ આ ખૂબ ઉર્જાવાન અને ખતરનાક ગ્રહ પણ માનવામાં આવે છે. સૂર્યમાં થતા વિસ્ફોટ અંતરિક્ષમાં (ISRO Mission Aditya L-1) ઉર્જા અને પદાર્થોને ફેંકે છે. જેનાથી પૃથ્વીના ઉપગ્રહો અને અન્ય અંતરિક્ષ યાનને નુકસાન પણ પોહચી શકે છે.

સૂર્યને વધુ સારી રીતે સમજવાનો હેતુ
આદિત્ય એલ1 મિશન આપણને સૂર્યના આ ખતરનાક પાસાઓને વધારે યોગ્ય રીતે સમજવામાં મદદ કરશે અને આપણને આ ખતરાથી બચવા માટે યોગ્ય રીતે વિકસિત કરવામાં સક્ષમ કરી શકશે. સૂર્યના અભ્યાસથી આપણે સૂર્યના ગતિશીલ પરિવર્તનોના વિશે વધારે જાણકારી પણ પ્રાપ્ત કરી શકીશુ અને આપણે આ સમજવામાં સક્ષમ થઈશું કે સૂર્ય આપણા સૌર મંડળ અને પૃથ્વી પર કેવી રીતે પ્રભાવ કરે છે. આ મિશનનો ઉદ્દેશ્ય સૂર્યના વિશે આપણી સમજને વધારે ઉંડી કરવાનો છે.

ઉપગ્રહોને સૂર્યથી થતા નુકસાનથી બચાવી શકાશે
આદિત્ય-એલ1નો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય પૃથ્વીની કક્ષામાં પરિક્રમા કરનાર ઉપગ્રહોની રક્ષામાં મદદ કરવાનો છે. સૂર્યની ગતિવિધિથી ઉત્યન્ન સૌર તૂફાન અને દ્રવ્ય ઉત્સર્જન પૃથ્વીના ઉપગ્રહોને નુકસાન પહોંચાડી શકે છે. આદિત્ય એલ1ના સૌર ઉપકરણ આ ખતરોના વિશે આપણને ચેતાવણી આપવામાં મદદ કરી શકે છે જેનાથી આપણે ઉપગ્રહોનું સુરક્ષિત સ્થાનો પર સ્થાનાંતરણ કરી શકીએ અથવા તેને બંધ પણ કરી શકાય છે.

આદિત્ય એલ1નું મિશન આપણા સૌર મંડળ અને પૃથ્વીને સારી રીતે સમજવામાં આપણી મદદ કરશે. આ આપણા સૂર્યના વાવાઝોડા અને દ્રવ્ય ઉત્સર્જનના વિશે સારી રીતે જાણકારી પણ આપશે. આપણા આ ખતરાથી કઈ રીતે બચી શકીએ આ મિશન આપણા સૌર મંડળ અને પૃથ્વીને સુરક્ષિત રાખવામાં પણ ખુબ મદદ કરશે.

આદિત્ય એલ1 મિશનના ઉપકરણ
આદિત્ય એલ1 મિશનમાં સાત વૈજ્ઞાનિક ઉપકરણ છે જે સૂર્યના વિવિધ પાસાનો અભ્યાસ કરશે. આ ઉપકરણોમાં આ વસ્તુઓનો શામેલ કરવામાં આવ્યો છે.

એક સ્પેક્ટ્રોગ્રાફ જે સૂર્યના પ્રકાશને અલગ અલગ તરંગ દૈર્ધ્યમાં તોડી દેશે અને આપણને સૂર્યના વાતાવરણના વિશે વધારે જાણકારી આપશે.

એક એક્સ-રે કેમેરા જે સૂર્યથી નિકળતા એક્સ-રેને જોશે.

એક પ્રોટોન અને ઈલેક્ટ્રોલ પલ્સ ઈમેજર જે સૂર્યથી નિકળતા પ્રોટોન અને ઈલેક્ટ્રોનની જાણકારી મળવશે.

એક ચુંબકીય ક્ષેત્રમાપી જે સૂર્યના ચુંબકીય ક્ષેત્રને માપશે.

એક કણ ડિટેક્ટર જે સૂર્યથી નિકળતા કણોની જાણકારી મળવશે.

એક સૌર કોરોનાગ્રાફ જે સૂર્યના કોરોનાને જોશે.

એક બીજો ગતિશીલતા ઈમેજર જે સૂર્યના વાયુમંડળમાં ઉર્જા અને પદાર્થ પ્રવાહનો અભ્યાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *