Surat માં સીટી બસે પગપાળા જતા જૈન સાધ્વીને કચડ્યા… ઘટના સ્થળે જ ઉડી ગયું પ્રાણ પંખેરું ‘ઓમ શાંતિ’

Surat, Gujarat: સુરત શહેરમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અવારનવાર સીટી બસ રાહદારીઓને અડફેટે લઈ અકસ્માત સર્જે છે. જેમાં અનેક ગંભીર રીતે ઘાયલ થાય છે,…

Surat, Gujarat: સુરત શહેરમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અવારનવાર સીટી બસ રાહદારીઓને અડફેટે લઈ અકસ્માત સર્જે છે. જેમાં અનેક ગંભીર રીતે ઘાયલ થાય છે, તો ઘણા લોકોના મોત થાય છે. ત્રેયારે આવી જ એક ઘટના હાલ સુરત શહેરમાંથી સામે આવી છે. આ વખતે Surat માં સીટી બસની અડફેટે આવતા જૈન સાધ્વીનું નિધન થઈ ગયું છે.

Suratમાં ફરી એકવાર સીટી બસ ચાલકની ઘોર બેદરકારીને કારણે વધુ એક માસુમે જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર પગપાળા જઈ રહેલા જૈન સાધવીને અડફેટે લેતાં ઘટના સ્થળે જૈન સાધ્વીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ જૈન સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

જાણવા મળ્યું છે કે, Surat શહેરમાં આજરોજ સીટી બસની અડફેટે આવતા જૈન સાધ્વીએ જીવ ગુમાવ્યો છે. આજરોજ સુરતના મકાઈ પુલ નજીક એક સીટી બસ એ જૈન સાધવીને લીધા હતા, જેને પગલે જૈન સાધ્વી ગંભીર રીતે ઘાયલ થયા અને લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા.

જાણવા મળ્યું છે કે, મૃતક જૈન સાધ્વી તેમના ગુરુના અંતિમ દર્શન માટે પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન મકાઈપુલ નજીક એક બેદરકાર સીટી બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે, શું પ્રશાસન આ અંગે કોઈ નિર્ણય લે છે કે, પછી આમ જ બેદરકાર સીટી બસના ડ્રાઈવરો માસુમનો ભોગ લેતા રહેશે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *