કુદરતી આફતોએ ઉત્તર ભારતમાં મચાવી ભયંકર તબાહી- ફસાયેલા લોકોને બચાવવા શરુ થયું રેસ્કયુ ઓપરેશન

જમ્મુ-કાશ્મીર: ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કુદરતી આપત્તિ સતત તબાહી મચાવી રહી છે. જમ્મુ -કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટના પછી તબાહીનો માહોલ છે. આ ઘટનામાં ઘણા લોકો ગુમ થયા છે, આવી સ્થિતિમાં ભારતીય વાયુસેનાના નેતૃત્વ હેઠળ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ગુરુવારે ભારતીય વાયુસેનાએ હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં કુલ 20 લોકો ગુમ છે, તેમની શોધ કરવામાં આવી રહી છે. વાયુસેના કુલ ત્રણ હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, ગુરુવારે ખરાબ હવામાનના કારણે સર્ચ ઓપરેશનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાયુસેના ઉપરાંત NDRF, SDRF ટીમો પણ સર્ચ ઓપરેશનમાં લાગી છે. આ સિવાય ફસાયેલા લોકોને જરૂરી સામાન પહોંચાડવાનું કામ પણ ચાલી રહ્યું છે.

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતીમાં ખરાબ હવામાનને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ફસાયેલા છે. છેલ્લા ચાર દિવસથી કેલોંગ અને ઉદયપુર વચ્ચે કુલ 221 લોકો ફસાયેલા છે. માહિતી અનુસાર, આમાંથી કુલ 191 લોકો હિમાચલ પ્રદેશના જુદા જુદા વિસ્તારના છે. જ્યારે 30 પ્રવાસીઓ બહારના રાજ્યોથી આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, પંજાબ, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓડિશાના લોકો લાહૌલ સ્પીતીમાં ફસાયેલા છે. હમણાં માટે, વહીવટીતંત્ર દ્વારા અસ્થાયી ધોરણે ખાવા -પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો શુક્રવારે હવામાન સારું રહેશે તો લોકોને હેલિકોપ્ટરની મદદથી બહાર કાવામાં આવશે અને તે પછી તેમને મનાલીમાં ખસેડી શકાશે. 28 જુલાઈના રોજ વાદળ ફાટ્યા બાદ હેડક્વાર્ટર કીલોંગથી લગભગ 15 કિ.મી દુર લાહોલ-સ્પીતીના ઉદયપુર ઉપખંડ તોજીંગ નદીમાં અચાનક આવેલા પૂરમાં સાત લોકો ધોવાઈ ગયા હતા. આ સિવાય ત્રણ લોકો ગુમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *