આજ થી લોકડાઉન ખુલવાની શરૂઆત- જાણો હવે કયા ઉદ્યોગ ધંધા રહેશે શરુ અને બંધ

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે, જેને કારણે ઘણા રાજ્યોમાં નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે. જોવા જઈએ તો દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, હરિયાણા…

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે, જેને કારણે ઘણા રાજ્યોમાં નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે. જોવા જઈએ તો દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યોમાં કોરોનાના કિસ્સા ખૂબ જ ઝડપથી નીચે આવ્યા છે. કોરોનાનું સંક્રમણ વધવાને કારણે અનેક રાજ્યમાં લોકડાઉન લગાવવામા આવ્યું હતું જે હવે કેસ ઘટવાને કારણે લોકડાઉન ને અનલોક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજથી એટલે કે ૧ જુનથી આ રાજ્યોમાં લોકડાઉન ને લઈને લાદવામાં આવેલ પ્રતિબંધોને હળવા કરવામાં આવી રહ્યા છે. જયારે અમુક રાજ્યમાં હજુ પણ લોકડાઉન યથાવત છે.

દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા ૩૧ મેના રોજ શરુ થઇ ગઈ છે. જયારે જ્યારે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં આજથી તારીખ 1 જૂનથી લોકડાઉન જેવા પ્રતિબંધો દૂર કરવામાં આવી રહ્યા છે. જાણો કે કયા રાજ્યોને 1 જૂનથી કોરોના કર્ફ્યુ અથવા લોકડાઉનમાં રાહત આપવામાં આવી રહી છે અને આ સમય દરમિયાન શું ખુલ્લું રહેશે શું બંધ?

દિલ્હી:
દિલ્હીમાં લોકડાઉનના પ્રતિબંધ હળવો કરવામાં આવતા ફેક્ટરીઓના માલિકોએ છ અઠવાડિયા પછી તેમની મથકો ખોલ્યા. જેમાંથી ઘણાને મજૂર અને કાચા માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે નુકસાનનું જોખમ છે.
કોરોના વાયરસનું સંક્રમણ વધતા 19 એપ્રિલના રોજ દિલ્હીમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. છ અઠવાડિયાના લોકડાઉન પછી, દિલ્હી સરકારે સોમવારથી તબક્કાવાર અનલોક પ્રક્રિયા હેઠળ શહેરમાં ઔધોગિક એકમો અને બાંધકામના કામોને મંજૂરી આપી દીધી છે.જો કે, કોરોના વાયરસની બીજી લહેરને લીધે, ઘણા કામદારો તેમના મૂળ સ્થળો પર સ્થળાંતર કરી ચૂક્યા છે અને બજારો કાચા માલની સપ્લાય માટે હજી ખોલ્યા નથી.

મધ્યપ્રદેશ:
મધ્યપ્રદેશ સરકારે રવિવારે નિર્દેશ આપ્યો છે કે, 1 જૂનથી 100 ટકા અધિકારીઓ અને 50 ટકા કર્મચારીઓ સાથે સરકારી કચેરીઓ ખોલવામાં આવશે. મધ્યપ્રદેશ જનસંપર્ક વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જારી કરેલી સૂચના અનુસાર 1 જૂન, 2021 થી તમામ સરકારી કચેરીઓમાં 100 ટકા અધિકારીઓ હાજર રહેશે. સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે આવશ્યક સેવાઓ પૂરી પાડતી કચેરીઓ સિવાય બાકીની ઓફિસો 100 ટકા અધિકારીઓ સાથે અને 50 ટકા કર્મચારીઓ સાથે ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે આવશ્યક સેવાઓમાં કલેક્ટર કચેરી, પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર, આરોગ્ય અને તબીબી શિક્ષણ, જેલ, મહેસૂલ, પીવાનું પાણી પુરવઠો, શહેરી વહીવટ, ગ્રામ વિકાસ, વીજ પુરવઠો, જાહેર પરિવહન, ટ્રેઝરી અને નોંધણી શામેલ છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરો પણ તાત્કાલિક સેવાઓ નક્કી કરી શકશે.

ઉત્તરપ્રદેશ:
ઉત્તર પ્રદેશ સરકારે કોરોનાના સંક્રમણને કારણે રાજ્યમાં લાગુ કરાયેલા કોરોના કર્ફ્યુમાં સવારે 7 થી સાંજ 7 સુધી રાહત આપી છે અને હવે તે સાપ્તાહિક શનિવાર અને રવિવારે રહેશે. જોકે, રવિવાર સુધીમાં, 600 થી વધુ સક્રિય કેસવાળા 20 જિલ્લાઓને આ સુવિધા મળશે નહીં.
મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારીએ રવિવારના રોજ શરતો સાથે પ્રવૃત્તિઓ શરૂ કરવા માટેનો આદેશ જારી કર્યો છે. તિવારીએ તેના આદેશમાં જણાવ્યું છે કે 1 જૂનથી સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી પ્રોહિબિશન ઝોનની બહાર પ્રવૃત્તિઓ કરવામાં આવશે અને સાથે તેમણે જણાવ્યું છે કે નાઇટ કર્ફ્યુ સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી લાગુ રહેશે અને આ સાથે અઠવાડિયા માં કોરોના કરફ્યુ શનિવાર અને રવિવારે લાગુ થશે. આ સમય દરમિયાન કોવિડ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

જમ્મુ કાશ્મીર:
જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે કેન્દ્રશાસિત ક્ષેત્રને અનલોક કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. કોરોના કર્ફ્યુ ફક્ત રાત્રે અને સપ્તાહના અંતમાં લાગુ થશે. તેમ છતાં શૈક્ષણિક સંસ્થાઓ 15 જૂન સુધી બંધ રહેશે. જ્યારે સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, ક્લબ, જિમ, મસાજ સેન્ટરો અને પેમેન્ટ આધારિત પાર્કને આગામી આદેશ સુધી બંધ રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનની અવધી 1 જૂનથી વધારીને 15 દિવસ કરી છે. જો કે, તેમણે થોડી છૂટછાટનો સંકેત આપ્યો છે. તે જ સમયે, ગોવા સરકારે પણ હાલના કોરોના કર્ફ્યુને 7 જૂન સુધી વધારવાનો નિર્ણય લીધો છે.

હરિયાણા:

હરિયાણામાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકડાઉન એક અઠવાડિયા માટે એટલે કે 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે પણ દુકાનો ખોલવાનો સમય અને મોલ પર લગાવાયેલ પ્રતિબંધોમાં છૂટછાટ અંગે માહિતી આપી હતી. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે રાજ્યમાં કોવિડ -19 ની સ્થિતિમાં સુધારો થયો હોવા છતાં, નિર્ણય લેવામાં આવ્યો છે કે લોકડાઉન વધુ સાથે સાત દિવસ સુધી લંબાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, જે દુકાનો અગાઉ વહેલી સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી  ખોલવા દેવામાં આવી હતી તે હવે સવારે 9 થી સાંજના 3 વાગ્યા સુધી ખુલી શકશે.

ઓડીશા:
ઓડિશા સરકારે રવિવારે કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉનને વધુ 16 દિવસ એટલે કે 17 જૂન સુધી વધારવાની જાહેરાત કરી છે. લોકડાઉનનો બીજો તબક્કો 1 જૂને સવારે 5 વાગ્યે સમાપ્ત થવાનો હતો. મુખ્ય સચિવ એસ.સી.મહાપત્રાએ કહ્યું કે લોકડાઉનનો હેતુ મુખ્યત્વે લોકોની અવરજવરને મર્યાદિત કરવાનો છે. અગાઉના લોકડાઉન પરના તમામ પ્રતિબંધો અને છૂટનો અમલ પણ ત્રીજા તબક્કામાં કરવામાં આવશે.
બિહારમાં લોકડાઉન 8 જૂન સુધી વધારવામાં આવ્યું છે. આ દરમિયાન કેટલીક છૂટ પણ આપવામાં આવી છે. 25 ટકાની હાજરીથી સરકારી કચેરીઓ ખુલશે. જો કે, આ સમયગાળા દરમિયાન ખાનગી કચેરીઓ બંધ રહેશે. મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ટ્વીટ કર્યું હતું કે લોકડાઉનથી કોરોનાનું સંક્રમણ ઓછુ થયું છે. લોકોએ કોરોનાના નીયમોનું પાલન કરવું જોઈએ.

કર્નાટક:
કર્ણાટકના મહેસૂલ પ્રધાન આર અશોકે સોમવારે સ્પષ્ટ કર્યું કે તબક્કાવાર રીતે રાજ્યમાં લોકડાઉન હળવું કરવામાં આવશે. સાથે અશોકે કહ્યું કે તેમણે તબક્કાવાર રીતે એક પછી એક ક્ષેત્ર શરૂ કરવા અંગે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને પોતાનો અભિપ્રાય આપ્યો છે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો કોરોનાના કેસોમાં ઘટાડો નહીં થાય તો લોકડાઉન ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે સરકારને તકનીકી સલાહકાર સમિતિનો અહેવાલ મળવાનો બાકી છે.

રાજસ્થાન:
લોકડાઉન પછી કોરોના વાયરસ વાયરસના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને, રાજસ્થાન સરકારે વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે મર્યાદિત છૂટ સાથે 2 જૂનથી સુધારેલા લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. ગૃહ વિભાગે સોમવારે આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરી હતી. આ મુજબ, સુધારેલા લોકડાઉનની માર્ગદર્શિકામાં વિવિધ પ્રવૃત્તિઓ માટે છૂટછાટ ફક્ત ત્યારે જ આપી શકાય છે જ્યાં કોરોનાનું સંક્રમણ દર 10 ટકાથી ઓછો હશે અથવા ઓક્સિજન, આઈસીયુ અને વેન્ટિલેટર પથારીનો ઉપયોગ 60 ટકાથી ઓછો હશે.

માર્ગદર્શિકા અનુસાર, રાજ્ય સરકારે કોરોના વાયરસના ચેપના ફેલાવોમાં ઘટાડો અને મોટાભાગના જિલ્લાઓમાં કોરોના સંક્રમણમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને વ્યવસાય અને અન્ય પ્રવૃત્તિઓમાં રાહત આપવા 2 જૂનથી ‘ટ્રાઇ-લેવલ પબ્લિક શિસ્ત સુધારેલ લોકડાઉન’ લાગુ કર્યો છે. આ અંતર્ગત, 25 ટકા કર્મચારીઓની હાજરી સાથે રાજ્યની તમામ સરકારી કચેરીઓને 7 જૂન, 2021 થી સવારે 9:30 થી સાંજના 4:00 વાગ્યા સુધી 50 ટકાની ક્ષમતાવાળી સરકારી કચેરીઓને મંજૂરી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *