જમ્મુ-કાશ્મીરને લઇને મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરમાં હવે દેશની કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં સ્થાયી થઈ શકે છે. મંગળવારે ગૃહ મંત્રાલય દ્વારા નવી સૂચના બહાર પાડવામાં આવી છે.…

જમ્મુ-કાશ્મીરમાં હવે દેશની કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં સ્થાયી થઈ શકે છે. મંગળવારે ગૃહ મંત્રાલય દ્વારા નવી સૂચના બહાર પાડવામાં આવી છે. જોકે, ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના જણાવ્યા મુજબ, અમે ઇચ્છીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં બહારના ઉદ્યોગો ઉભા કરવામાં આવે, તેથી ઓદ્યોગિક જમીનમાં રોકાણની જરૂર છે. પરંતુ વાવેલી જમીન રાજ્યના લોકો માટે જ રહેશે.

તમને જણાવી દઇએ કે, અગાઉ ફક્ત જમ્મુ-કાશ્મીરના રહેવાસી જ જમીન વેચી અને વેચાણ કરી શકતા હતા. પરંતુ હવે બહારથી જતા લોકો પણ જમીન ખરીદી શકે છે અને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકશે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદા હેઠળ લીધો છે. જે અંતર્ગત કોઈપણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ ફેક્ટરી, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે, સ્થાનિક રહેવાસી હોવાના કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરને ગયા વર્ષે જ કલમ 370 થી મુક્તિ આપવામાં આવી છે, ત્યારબાદ 31 ઓક્ટોબર 2019 ના રોજ જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો. હવે, કેન્દ્રશાસિત પ્રદેશ બન્યાના એક વર્ષ પૂરા થવા પર, જમીનનો કાયદો બદલવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *