છેલ્લા 9 દિવસથી લાપતા છે એક જ પરિવારના પાંચ સભ્યો- રાજ્યભરની પોલીસની ઊંઘ થઇ હરામ

આજકાલ અવારનવાર ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી જોવા મળી રહ્યી છે. ત્યારે જાણવા મળ્યું છે કે, ગુજરાત (Gujarat) ના જામનગર (Jamnagar) શહેરમાં રહેતા એક જ પરીવારના…

આજકાલ અવારનવાર ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી જોવા મળી રહ્યી છે. ત્યારે જાણવા મળ્યું છે કે, ગુજરાત (Gujarat) ના જામનગર (Jamnagar) શહેરમાં રહેતા એક જ પરીવારના પાંચ સભ્યો ગુમ થયાની જાણ થઇ છે. મળતી માહિતી અનુસાર જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક પરિવાર ગત 11 માર્ચથી ગુમ થયેલ છે.

જયારે પરીવારના સભ્ય અરવિંદભાઈ નિમાવત તેમજ તેમના પત્ની, એક પુત્રી અને બે પુત્રો એમ કુલ મળીને 5 લોકો ગુમ થયેલ છે. આ પરીવારનાં ગુમ થયા પાછળનું કારણ હજી સુધી જાણવા મળેલ નથી. મળતી માહિતી અનુસાર જામનગર સીટી સી ડીવીઝન પોલીસમાં ગુમ થયાની જાણ થતાની સાથે જ પોલીસ દ્વારા પરીવારની શોધખોળ શરુ કરવામાં આવી છે.

ગાંધીનગરમાં SRP જવાને આપઘાત કરી લેતા પોલીસ વિભાગમાં મચ્યો ખળભળાટ:
મળતી માહિતી અનુસાર ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલ SP ઑફિસમાં એક SRP જવાને આપઘાત કરી લેતા અફરા તફરી મચી ગઈ છે.જયારે આત્મહત્યા કરનાર જવાન SRP ગ્રુપ-3માં ફરજ બજાવી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વધુમાં જાણવા મળ્યું છે કે, ગાંધીનગર SP કચેરી ખાતે SRP જવાનને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા હતા. જયારે આપઘાત કર્યા પાછળનું કારણ અજી સુધી જાણવા મળેલ નથી. હાલ આ કેસમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ તપાસ પછી સામે આવશે કે, આપઘાત પાછળનું કારણ શું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *