જામનગરની કરુણ ઘટના: સગાઇ તૂટ્યાનું દુઃખ સહન ન થતાં યુવતીએ ગળાફાસો ખાઈ ટુકાવ્યું જીવન 

હાલમાં દિવસેને દિવસે આત્મહત્યાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ફરી એકવાર આત્મહત્યાનો એક ચોકાવનારો કેસ સામે આવ્યો છે જેમાં ફક્ત સગાઇ તૂટી જવાથી યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ગુજરાતના જામનગર શહેરમાં સગાઈ તૂટી જવાથી મનમાં લાગી આવતાં યુવતીએ ગળેફાંસો ખાઈ લેતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મનસ્વીબેન જયેશભાઈ મગલાણી જેમની ઉંમર હજી 19 વર્ષ જ છે. આ યુવતીની સગાઈ છ મહિના પહેલાં થઈ હતી.

મનસ્વીની સગાઈ તારીખ 28-2ના રોજ તૂટી ગઈ હતી. જેથી તેણીને માઠું લાગી આવતાં તેણીએ ગળેફાંસો ખાતાં પરિવારના સભ્યો જોઈ ગયા હતા. જેથી તેને તાત્કિલક નીચે ઉતારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે લાશને કબજે કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ ઘટનાથી પરિવારમાં તેમજ સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના જામનગરના રાંદલનગરમાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *