ભાજપના દલિત નેતાને ખાવાના ફાંફા પડી રહ્યા છે, પાર્ટી સાંભળતી નથી- જુઓ નેતાનો વિડીયો

અમરાઈવાડી વિધાનસભા ના ભાઈપુરા વોર્ડ માંથી અનુસુચિત જાતિ ના કોષાધ્યક્ષ કલાભાઈ વઢીયારી ભાજપમાં છેલ્લા 30 વર્ષ થી વિધ વિવિધ હોદ્દા પર રહીને સેવા આપી ચુક્યા છે જેઓને અત્યારે ઘર ચલાવવામા ખુબ જ તકલીફ પડી રહી છે. જેઓ સ્વમાન ના ભોગે કોઇ જ પાસે કોઇપણ પ્રકાર ની મદદ માંગી સકતા નથી. પણ એમની ધીરજ નો અંત આવતા એમની હૈયા વરાળ આ વિડીયો મારફતે ભાજપ ના નેતાઓને સત્યથી વાકેફ કરવા પોતાની વ્યથા ઠાલવી.

તેઓને પોતાના દીકરા, પડોશીઓ સવાલ કરી રહ્યા છે કે તમે ભાજપના નેતાઓ છો તો શું કર્યું? તમારું કાઈ આવતું નથી. પોતે બેકાર છે પોતાના દીકરા પણ બેકાર છે. પોતાને ખાવાના ફાંફા હોવાનો દાવો તેઓ વિડીયોમાં કરી રહ્યા છે.

એક તરફ સરકારનો દાવો છે કે તેઓએ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ આવતા 66 લાખ કુટુંબોના ખાતામાં 1000 રૂપિયા જમા કરાવ્યા છે. સરકાર કહી રહી છે કે તંત્રએ રાશન કાર્ડ ધરાવતા અને ન હોય તેમણે પણ અન્નબ્રહ્મ યીજના હેઠળ રાશન આપ્યું છે. ત્યારે ભાજપના જ એક નેતાએ પોતે નિઃસહાય હોવાનો દાવો કર્યો છે તે અનેક સવાલો ઉભા કરે છે.

દેશમાં લોકડાઉનનો 3જો તબક્કો ચાલી રહ્યો છે. સામાન્ય પ્રજા તો અમદાવાદમાં છેલ્લા બુધવારે અચાનક સંપૂર્ણ લોકડાઉનનો આદેશ થતાં રોડ પર આવી ગયા હતા. ખરીદી માટે ઉમટેલા લોકોની વ્યથા તો દબાઈ ગઈ છે. પરંતું સત્તાધારી પક્ષ ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ અને કાર્યકરો પણ હવે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *