અહિયાં આવતા દરેક ભક્તોની માનતા પૂરી કરે છે કષ્ટભંજન દેવ!- દુર દુરથી લોકો આવે છે અહીં માનતા રાખવા

આજે અમે તમને ગુજરાતમાં આવેલા એક ચમત્કારી ઝંડ હનુમાન મંદિર વિશે જણાવિશું. મંદિરમાં હનુમાનદાદાની 21 ફૂટ ઊંચી મૂર્તિ આવેલી છે અને કહેવામાં આવે છે કે આ મૂર્તિની સ્થાપના ભીમ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિર પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા માં આવેલું છે. મંદિરમાં ભીમની ઘંટી અને તે સમયનો કુવો પણ આવેલો છે.

પાંડવો એકવાર પોતાના વનવાસ દરમ્યાન આ વનમાં રોકાયા હતા અને એ સમયે હનુમાન દાદા એ દુર્બળ વાનરનું રૂપ ધારણ કર્યું હતું અને ભીમ નો રસ્તો તેમના પુંછડા વડે રોક્યો હતો.ભીમે પૂંછડું પકડીને તેને બાજુમાં કરવાની કોશિશ કરી પણ તે નિષ્ફળ રહ્યા અને આ પછી હનુમાનદાદા પોતાના સ્વરૂપમાં આવ્યા અને તેમને કહ્યું કે કોઈ પણ માણસ ને સામાન્ય સમજવાની કોશિશ ન કરવી.

હનુમાન દાદા એ કહ્યું કે જે દેખાય એ સત્ય નથી હોતું. આમ કહીને હનુમાન દાદા એ ભીમ ના બળનું અભિમાન ઉતાર્યું હતું. આ પછી આ જગ્યાએ હનુમાનદાદાની 21 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરી હતી. આ જગ્યાએ અર્જુને તીર મારીને પાણી કાઢ્યું હતું અને તે કૂવો આજે પણ આ જગ્યાએ હાજર છે. અહીં આવતા ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. માટે દૂર-દૂરથી લોકો અહીં માનતા માનવા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *